________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧૬૭ સમાધાનઃ- આત્મા તો શાશ્વત પોતાના સ્વભાવરૂપે છે ને રાગ તો વિભાવ છે, તેથી તેમાં રાગ કયાંથી હોય? દ્રવ્યમાં રાગ નથી. દ્રવ્ય અપેક્ષાએ “રાગ નથી' તે બોલવામાત્ર નથી, પણ રાગ મારા સ્વભાવમાં ખરેખર નથી. મારા મૂળ સ્વરૂપમાં રાગ નથી હું તો જેમ છું તેમ અનાદિ-અનંત જ્ઞાયક સ્વરૂપે છું પણ પર્યાયમાં રાગ છે, તેનાથી દૂર કેમ થાઉં? માટે પુરુષાર્થ કરવાનો રહે છે.-આમ વિચારે તો આ બે અપક્ષામાં વિરોધ નથી. દ્રવ્ય અપેક્ષાએ મારામાં રાગ નથી; દ્રવ્ય સ્વરૂપ જોઉં તો રાગ મારામાં નથી; હું તો જ્ઞાયક-શુદ્ધાત્મા છું. આ જે બધા વિભાવિક ભાવ છે તે ઉપર ઉપરથી રહેલા છે, તે અંતરના મૂળમાં નથી. રાગની પરિણતિ છે તે મારા મૂળ સ્વરૂપમાં નથી, તો તે ટળે કેવી રીતે? એ રીતે સાધકને તેને ટાળવાનો અને પોતાના શુદ્ધાત્મસ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન રહે છે. સાધકની રુચિમાં આવ્યું છે કે હું તો જ્ઞાયક છું. મારામાં આ રાગ છે જ નહિ. તો પણ આ બધું આવ્યું કયાંથી? કે મારી પોતાની પરિણતિ પુરુષાર્થની મંદતાથી વર્તમાન તે રીતે પરિણમી છે એટલે તે આવ્યું છે. ૨૮૬. પ્રશ્ન- જ્ઞાની રાગ મારામાં થાય છે એવું જાણવાં છતાં, રાગ મારામાં નથી તેમ કયા પ્રયોજનપૂર્વક વિચારે છે ? સમાધાન- જ્ઞાની પ્રયોજનપૂર્વક વિચારે છે કે રાગ મારા સ્વભાવમાં નથી. તેને રુચિ, પ્રતીતિમાં તો એમ છે કે રાગ મારા સ્વભાવમાં નથી છતાં પણ આ રાગ છે ખરો ! હવે તે છે તો ટળે કેવી રીતે ? એમ વિચારી તેને ટાળવાનો પ્રયત્ન કરે છે. હું તો અનાદિ-અનંત જ્ઞાયક જ છું, રાગ મારા સ્વભાવમાં નથી તેથી હું તેનો કર્તા નથી. આ રીતે અંતરમાં બેય અપેક્ષા સમજે છે તેથી જ્ઞાનીને બેમાં વિરોધ દેખાતો નથી. મૂળ સ્વરૂપમાં રાગ નથી તેથી ટળી જાય છે. જો મૂળમાં રાગ હોય તો ટળે કયાંથી? જો મૂળમાં રાગ હોય તો આત્માનો સ્વભાવ થઈ જાય ને તો કદી ટળે નહિ. વળી રાગ દુઃખરૂપ છે ને પોતાનો સ્વભાવ દુઃખરૂપ હોય નહિ. માટે આ પરના લક્ષે થયેલી ઉપાધિરૂપ પરિણતિ છે ને તે ચાલી જતાં મારો સ્વભાવ છે તે પ્રગટ થઈ જાય છે. આમ તેની રુચિ પોતાના સ્વભાવ તરફ રહે છે. હું જ્ઞાયક છું અને આ રાગાદિ ટળે કેમ, એમ રુચિમાં અને ભાવનામાં તેને રહે છે. ૨૮૭. પ્રશ્ન:- શ્રદ્ધા પાકી થયા પછી વર્તન કેમ નથી થતું? ચારિત્રને કેમ વાર લાગે છે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com