________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨]
[સ્વાનુભૂતિદર્શન સમ્યગ્દર્શન થયા પછી એમ નક્કી થઈ ગયું કે આ જ માર્ગ છે, ગુરુદેવે કહ્યું તે આજ છે. ૧૫૮. પ્રશ્ન- નિર્વિકલ્પ દશા પ્રગટ કરવાની કોઈ વિધા-કળા હોય તો કૃપા કરી સમજાવો. સમાધાન - ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરવી, કે જે ભેદજ્ઞાનની પાછળ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય. તે પ્રયત્ન તો પોતાને જ કરવાનો રહે છે. તે ભેદજ્ઞાન માત્ર ધારણા પૂરતું નહિ, પણ અંતરમાંથી ભેદજ્ઞાનની ધારા પ્રગટ થાય (આ સવિકલ્પ ભેદજ્ઞાનધારાની વાત છે, જે સમ્યગ્દર્શન પૂર્વે પ્રયત્નથી પ્રગટ થાય છે) અને તે પછી પોતે તેને ટકાવે કે આ શરીર ને વિભાવ પર્યાય તે હું નથી, હું તો ચૈતન્ય જ્ઞાયક છું. દરેક શુભાશુભ ભાવોની અંદર હું જુદો જ છું, એવી જાતની અંદર સહજ ધારા પ્રગટ થાય તે કરવાનું તેના હાથમાં છે. આવી સહજ ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરે તો તેની પાછળ નિર્વિકલ્પ દશા આવે છે. ભેદજ્ઞાનની ધારાની ઉગ્રતા થતાં, જ્ઞાતાધારાની ઉગ્રતા થવાથી ને ઉપયોગની તીક્ષ્ણતા થવાથી વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે-સ્વાનુભૂતિ થાય છે.
વર્તમાનમાં પોતે આવી ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરી શકે છે. પહેલાં તેને વિકલ્પરૂપ હોય પણ સહજ ધારા જો પ્રગટ થાય તો તે સહજધારાની, જ્ઞાતાધારાની ઉગ્રતા પાછળ નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. આ જ્ઞાતાધારાની ઉગ્રતાને સહજપણે કરવામાં તેને પ્રયત્ન જોઈએ છે.
અનાદિનો અભ્યાસ છે એટલે તેને વારંવાર એકતાબુદ્ધિ થઈ જાય છે. તે એકતાબુદ્ધિમાંથી છૂટા પડવા પ્રથમ વિકલ્પરૂપે આ જુદો-આ જુદો તેમ કર્યા કરે તો તે પાછળથી અભ્યાસરૂપે થાય છે. (આમ અભ્યાસ થતાં) જો સહજધારા પ્રગટ થાય તો તેની પાછળ નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. તેણે દ્રવ્ય પર દષ્ટિ કરી જ્ઞાતાધારાની ઉગ્રતા કરવી કે હું “જ્ઞાયક છું” “જ્ઞાયક છું” “જ્ઞાયક છું.” જે જે વિકલ્પ આવે તે કાળે પણ હું જ્ઞાયક છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરે તો સહજરૂપે તેને ભેદજ્ઞાન થાય. નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવાનો આ એક જ માર્ગ છે. ભેદજ્ઞાનની ધારાની ઉગ્રતા થતાં જ્ઞાતાધારાની ઉગ્રતા થવાથી નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. કોઈને પુરુષાર્થમાં મંદતા રહી જાય તો નિર્વિકલ્પ દશા થતાં વાર લાગે છે. અને કોઈને સહજધારા થઈને અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પ દશા થઈ જાય તે જુદી વાત છે. ઘણાને તો અભ્યાસ કરતાં કરતાં થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com