________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૫૩ પણ પોતાનો અધિકાર તો નથી જ, તો પણ બહારમાં તેનું ફળ આવે જ છે, તો શાયકની સાચી ભાવના ફળ્યા વગર કેમ રહે?-ફળે જ. ૫૪. પ્રશ્ન- ગુરુદેવ શું બધાને પરમાત્મા જ કહેતા હતા? શું જીવ પામર નથી ? સમાધાન - ગુરુદેવ કહે છે કે તું પરમાત્મા છો, પામર નથી. ગુરુદેવ બધાને ભગવાન જ કહેતા હતા. દ્રવ્ય કાંઈ પાર નથી, પૂર્ણ ભરેલું છે. તેથી પરમાત્મા જ છે. અને તે પરમાત્મામાંથી પરમાત્માપણું આવે છે. પામરતા છે એ તો પર્યાય અપેક્ષાએ છે. જે ભાવનાવાળો હોય છે એમ કહે કે પ્રભુ! તમે અમને-પામરને પ્રભુ બનાવ્યો છતાં પણ, પોતામાં પ્રભુતા ભરી છે તેમાંથી પ્રભુતા આવે છે. ૫૫. પ્રશ્ન- બારમાં દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે કોઈ વિરોધ કરે તે ટાઈમે શાંતિ ક્યાંથી રહે ? સમાધાન:- આત્માનું જેને પ્રયોજન સાધવું છે તે અમુક જાતની મર્યાદા બહાર જાતો જ નથી. તેને વિભાવ પરિણતિ જોતી જ નથી. જેનું પ્રયોજન આત્મા સાધવો છે, જેને આત્માની લગની લાગી છે તે આત્માર્થી, તેને વિભાવ પરિણતિનું એકત્વપણું હજી છૂટયું નથી તો પણ, મર્યાદા બહાર જતો જ નથી. એ તો જ આત્માને સાધી શકે છે, આત્મા મળે છે. નહિ તો આત્મા કયાંથી મળે? આત્માનું પ્રયોજન ન હોય તો તેને આત્મા કયાંથી મળે? અમુક પાત્રતા તો હોવી જ જોઈએ. બધાએ વિચારો ફેરવીને શાંતિ રાખવી. પ૬. પ્રશ્ન- શરીર કામ કરતું નથી, અહીંયાં રહી શકાતું નથી. તો શું કરવું? સમાધાનઃ- ગુરુદેવે ઘણું કહ્યું છે. આત્માનું જ કરવાનું છે. શરીર ક્યાં આત્માનું છે? રોગ-વેદના આત્મામાં નથી, તેનાથી જુદો આત્મા છે. હું જાણનારો છું, રોગ થાય તે મારામાં નથી. શરીર ઉપર રાગ છે એટલે તેમાં એકત્વબુદ્ધિએ જોડાઈ જવાય છે, પણ શાંતિ રાખવી. ભેદજ્ઞાન કરવાનો પ્રયત્ન કરવો કે હું જાણનારો, સદાય જુદો જ છું.
બહારના ઉદય આવે તે પોતાનું સ્વરૂપ નથી. તેમાં શાંતિ રાખવી. ગુરુદેવે કહ્યું તે તત્ત્વના વિચારો કરવા, આત્માનું સ્વરૂપ વિચારવું ને દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવા. હું જ્ઞાયક છું. રોગ જુદો ને હું જુદો. આકુળતા થાય, પણ હું તો આત્મા છું. આ રોગ મારું સ્વરૂપ નથી, એમ વિચારી શાંતિ રાખવી અને વારંવાર જ્ઞાયક આત્માને યાદ કરવો. રોગ તો શરીરમાં આવ્યા કરે, તે આત્મામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com