________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[ ૫૫ થાય કે હજી અંદરમાં કરવાનું બાકી છે, હજી અંતરમાંથી શાંતિનો પલટો આવવો જોઈએ તે આવ્યો જ નથી. ભલે મંદ કષાય હોય, પણ અંદર કાંઈ ભાસતું જ નથી. શાંતિ લાગે છે, પણ આત્માનું કોઈ જુદું સ્વરૂપ ભાસ્યું નથી. આમ સાચો આત્માર્થી હોય તે સંતોષ માને જ નહિ.
મુમુક્ષુઃ- જેને અનુભવ થયો તે ભેદ પાડી શકે; પણ જેને અનુભવ થયો નથી તે છેતરાઈ ન જાય? તેને તો એમ થાય કે સાક્ષાત્ અનુભવ થયો છે.
બહેનશ્રી - સાચો જિજ્ઞાસુ હોય તેને મંદ કષાયની શાંતિ હોય તો પણ અંદર સંતોષ ન આવે. અંદરમાંથી જે આકુળતા છૂટવી જોઈએ તે છૂટી નથી ને અંદરમાં કાંઈ ભાસતું નથી. તેથી સાચો આત્માર્થી હોય તે છેતરાય નહીં. તેને તો મારી હજી કાંઈ ભૂલ થાય છે તેમ થયા કરે. મુક્તિના માર્ગની જે વાત આચાર્યો, મહાપુરુષો, જ્ઞાનીઓ, તથા ગુરુદેવ કરે છે અને શાસ્ત્રમાં આવે છે એવી જાતનું અંદરમાં લાગતું નથી. તેથી તેને સંતોષ ન આવે. પોતાને અનુભવ નથી, પણ શાસ્ત્રમાં વાંચ્યું હોય ને ગુરુ પાસે સ્વાનુભૂતિની અને ભેદજ્ઞાનની બધી વાતો સાંભળી હોય તે ઉપરથી અંતરમાંથી તેવી જાતનો ઉલ્લાસ કે શાંતિ નથી અથવા તો માર્ગ આ જ છે તેવી જાતનો જોરદાર નિર્ણય આવવો જોઈએ તે આવતો નથી માટે મારી કાંઈક ભૂલ છે એમ ભેદ પાડી શકે છે–સાચો જિજ્ઞાસુ-આત્માર્થી હોય તે થોડા પુરુષાર્થમાં અટકી ન જાય. તેને એમ થાય કે મંદ કષાયમાં અટકી જવાથી મારી ભૂલ થાય છે, તેને ખટક રહ્યા જ કરે છે, એટલે તે અટકે જ નહીં, બાકી જેને થોડામાં માની લેવું હોય અથવા મેં ઝટ કરી લીધું ને હવે મને થઈ ગયું એવી કલ્પના કરવી હોય તે સંતોષાઈ જાય છે. જે ખરો શોધક છે કે મારે આત્માનું જ કરવું છે, આત્માનું જ પ્રયોજન છે તે કોઈને દેખાડવા માટે કે કોઈને ખોટી રીતે મનાવવા માટે કરતો નથી. મારે મારા આત્માને ખાતર કરવાનું છે, આ અનંતકાળનું પરિભ્રમણ કેમ ટળે ? અંદરમાંથી સુખ કેમ આવે અને આ દુઃખ કેમ ટળે? અનુપમ આત્મા કેમ મળે? તેમ ખરી ખટક લાગી હોય તે સંતોષાતો નથી. પરંતુ જેને મારે બહારમાં કાંઈક કરી બતાવવું છે એવો હેતુ અંદર હોય તે સંતોષાઈ જાય છે. આકુળતા હોય ને જલદી પુરુષાર્થ કરી લઉં એવી બધી અધીરજ હોય તે સંતોષાઈ જાય છે. છેતરાઈ જવાના ઘણા રસ્તા છે. જિજ્ઞાસા થયા પછી કેમેય કરીને થતું ન હોય અને થોડો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com