________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[૪૯
અંતરમાંથી થવો જોઈએ. પહેલાં એકદમ લીનતા ન થાય, પહેલાં શ્રદ્ધા થાય ને પછી લીનતા થાય. તો રાગ-દ્વેષ છૂટે. ૪૯.
પ્રશ્ન:- ભાવકર્મનો નિરોધ કેવી રીતે થાય?
સમાધાનઃ- મૂળ ભાવકર્મ જ કર્મ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મને લઈને બંધાયા કરે છે. જો ભાવકર્મનો નિરોધ થાય તો દ્રવ્યકર્મનો નિરોધ થાય જ છે. અનાદિકાળથી તે બધાં કર્મનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે, પણ કર્મનો નાશ કરવાનો જે સાચો ઉપાય છે તેને ગ્રહણ કરતો નથી. તું બહારથી બધું કર્યા કર તેનાથી કાંઈ કર્મનો નાશ થતો નથી, ઊલટાનું કર્મ બંધાયા કરે છે. તું શુભભાવો કર્યા કરે છે, પણ તે શુભભાવથી કર્મનો નાશ ન થાય, પુણ્ય બંધાય અર્થાત્ દ્રવ્યકર્મ તો એમ ને એમ બંધાયા જ કરે. જ્યાં સુધી ભાવકર્મનો નાશ થતો નથી, ત્યાં સુધી દ્રવ્યકર્મનો નાશ થતો જ નથી.
શાસ્ત્રમાં આવે છે ને? કે અજ્ઞાની જે કર્મ લાખ-ક્રોડ ભવે ખપાવે છે તે કર્મ જ્ઞાની એક ઉચ્છવાસ માત્રમાં ક્ષય કરે છે. અજ્ઞાની અશુભમાંથી શુભભાવમાં ઊભો રહે છે પણ એથી તો ભાવકર્મ એમ ને એમ ઊભાં રહે છે અને ભાવકર્મ ઊભાં રહે છે એટલે દ્રવ્યકર્મનો નાશ થતો નથી, ખરી રીતે તેને નિર્જરા થતી નથી. અશુભ ભાવની નિર્જરા થાય તે વાસ્તવિક નિર્જરા નથી. માત્ર શુભભાવ કરવાથી કર્મનો આસ્રવ રોકાતો નથી.
અંદર ભાવકર્મનો નિરોધ કેવી રીતે થાય તેનો ઉપાય માટે ૫૨મ ગુરુનો (સત્ પુરુષનો ) આશ્રય લેવો. સકળ મોહ-રાગ-દ્વેષનો ક્ષય કરવો હોય તો પરમ ગુરુનો આશ્રય લેવો. ૫૨મ ગુરુ તને માર્ગ બતાવશે કે ભાવકર્મનો નિરોધ કેમ થાય ? અંદરમાં તું ચૈતન્યદેવને ગ્રહણ કર અને જે આ ભાવકર્મનો ઉદ્દભવ થાય છે તેનાથી તું જુદો પડ. જે આ ભાવકર્મ-વિભાવભાવો થાય છે તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી જુદો જ્ઞાયક છું-એવા જ્ઞાયકદેવને ગ્રહણ કર તો ભાવકર્મનો નિરોધ થશે. તું ચૈતન્યની પરિણતિ-ચૈતન્યનું કાર્ય પ્રગટ કર, તો ભાવકર્મની ક્રિયા તારાથી જુદી પડશે. ભાવકર્મથી ભેદજ્ઞાન કર કે હું જુદો છું. ચૈતન્યના કર્તા-કર્મક્રિયા બધું મારામાં છે, ભાવકર્મ મારું સ્વરૂપ નથી. આ રીતે તેનાથી જુદો પડ. ભાવકર્મનો નિરોધ ક્યારે થાય? કે જ્યારે ચૈતન્યની પરિણતિ પ્રગટ કરે ત્યારે. જ્ઞાયકદેવની જો જ્ઞાયકરૂપે પરિણતિ થાય અને ભાવકર્મ મારું સ્વરૂપ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com