________________
પત્રાંક-૫૪૬
પર્યાયપણું ન હોય તો સર્વ પરમાણુમાં પણ ન હોય. સંયોગ-વિયોગ, એકત્વપૃથક્ત્વ, એ આદિ પરમાણુના પર્યાય છે અને તે સર્વ પરમાણુમાં છે. તે ભાવ સમયે સમયે તેમાં પલટનપણું પામે તોય પરમાણુનો વ્યય (નાશ) થાય નહીં, જેમ મેષોન્મેષથી ચક્ષુનો થતો નથી તેમ.
૯
૫૪૬. ધા૨શીભાઈ’ ઉ૫૨નો પત્ર છે. એમને એક પ્રશ્ન પૂછાવ્યો છે એનું સમાધાન આ પત્રમાં આપ્યું છે. પરમાણુ સંબંધિત પ્રશ્ન છે.
,
જેનું મધ્ય નહીં, અર્ધ નહીં....” અડધું ન કરી શકાય. જેના ક્ષેત્રમાં કોઈ મધ્યબિંદુ નથી એટલું જેનું નાનું ક્ષેત્ર છે. જેના બે ભાગ કરી શકાતા નથી. જે અછેદ્ય, અભેદ્ય..’ છે. જેને છેદી શકાતું નથી, જેને ભેદી શકાતું નથી. એ આદિ પરમાણુની વ્યાખ્યા શ્રી જિને કહી છે... જિનાગમમાં આ પરમાણુનું સ્વરૂપ બતાવ્યું છે. ‘ત્યારે તેને અનંત પર્યાય શી રીતે ઘટે ?” આવા નાના સૂક્ષ્મ પરમાણુને અનંત પર્યાય કેવી રીતે થાય ? એવો પ્રશ્ન કર્યો છે. અથવા પર્યાય તે એક પરમાણુનું બીજું નામ હશે કે શી રીતે ?’ પર્યાય તે એક પરમાણુનું કોઈ નામ છે ? પરમાણુનું બીજું નામ છે કે શું છે ? એ પ્રશ્નનું પત્ર પહોંચ્યું હતું. તેનું સમાધાન ઃ–
પરમાણુ, એના દ્રવ્ય-ગુણ-પર્યાય. એ વિષયમાં એવો જે દ્રવ્યાનુયોગના સિદ્ધાંતનો (વિષય છે) એ કાળમાં, એ દિવસોમાં વિશેષ નહિ ચર્ચાતો હોય એમ લાગે છે. આ પ્રશ્ન ઉપરથી એમ લાગે છે કે એમના જમાનામાં, એમના સમયમાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંતોની ખાસ ચર્ચા નહિ થતી હોય. પ્રશ્ન તો સામાન્ય છે. અત્યારે જે દ્રવ્યાનુયોગનો વિષય ‘ગુરુદેવશ્રી’એ સ્પષ્ટ કર્યો છે એના પ્રમાણમાં પ્રશ્ન ઘણો સામાન્ય છે.
પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે.’ પર્યાય એટલે અવસ્થા. કૌંસમાં લખી નાખ્યું છે. પછી તે ક્ષેત્રથી મોટો પદાર્થ હોય કે ક્ષેત્રથી નાનો સૂક્ષ્મ પદાર્થ હોય પણ પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે.’ ક્રમે કરીને, હોં ! એકસાથે નહિ પણ ક્રમે કરીને. અથવા ગુણભેદથી લઈએ તો એક સમયમાં પણ એક પદાર્થને અનંત ગુણની અનંત અવસ્થા છે. અને આખા પદાર્થની એક અવસ્થા લઈએ તો એક પદાર્થને એક સમયે એક અવસ્થા હોય. અનંત અવસ્થા અનંત સમયે થાય છે. અનંત અવસ્થા થવા માટે અનંત સમય હોય છે. અહીંયા ગુણભેદનો વિષય નથી, અહીંયા પદાર્થનો વિષય છે.
અનંત પર્યાય વિનાનો કોઈ પદાર્થ હોઈ શકે નહીં...' કોઈ પદાર્થને હંમેશા એક જ