________________
પત્રાંક-૫૪૬.
હાલ વ્યવસાય વિશેષ છે. પોતાને અત્યારે ધંધાની પ્રવૃત્તિ વિશેષ છે. “ઓછો કરવાનો અભિપ્રાયશ્ચિત્તમાંથી ખસતો નથી. ધંધાની પ્રવૃત્તિ વધી ગઈ છે, વ્યવસાયની પ્રવૃત્તિ વધી ગઈ છે અને વ્યવસાય ઓછો કરવાનો અભિપ્રાય છે એ સતત ચાલુ રહે છે. ‘ચિત્તમાંથી ખસતો નથી. એટલે સતત ચાલુ રહે છે. “અને વધારે થયા કરે છે. અને એ અભિપ્રાય ઊલટો ઉગ્ર થયા કરે છે કે આ વ્યવસાય ઘટે તો સારું. જગતમાં વ્યવસાયમાં પડેલા માણસો વ્યવસાય વધે તો સારું, ધંધો વધે તો સારું, Turnover વધે તો સારું, ઘરાકી વધે તો સારું, કમાણી વધે તો સારું, એ અભિપ્રાયથી તીવ્ર રસે કરીને પ્રવૃત્તિના પરિણામ કરે છે. જ્ઞાની એમ કહે છે કે આ ઘટે તો સારું, આ માટે તો સારું અને આ મારા પરિણામ બંધ થાય તો સારું. આ જાપ જપે છે. સંસારીજીવના ઊંધા જાપ છે. આના ઊંધા છે). ઊંધાથી ઊંધા એવા સવળા જાપ છે. આ પ્રકાર થાય છે.
મુમુક્ષુઃ- જે રાગ આર્તધ્યાન દિવસભરમાં ચાલતું હોય. અમને તો દિવસભરમાં બે જ પ્રકારના પરિણામ થાય છે, યા તો રૌદ્ર પરિણામ થાય છે કોઈ કારણસર, યા આર્ત પરિણામ થાય છે, આ બધા પરિણામ જ્ઞાનીના માર્ગ ઉપર પગ મૂકવા જેવું છે?
પૂજ્ય ભાઈશ્રી:- એમ જ છે. પોતાને ભૂલીને સંયોગને જેટલું વળગવામાં આવે છે એ બધું એકાંતે નુકસાનનું કારણ છે, એકાંતે નુકસાન છે.
મુમુક્ષુ -ચોવીસ કલાસ આ પ્રવૃત્તિ ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી – ચોવીસ કલાકમાં નુકસાન ચાલું છે. આસવનો કોક ખોલી નાખ્યો છે. ચાલુ જ છે. કર્મનો આસવ ચાલુ જ છે, બંધન ચાલુ જ છે. અત્યારે ખબર નથી પડતી. પરિણામ આવે ત્યારે એને ખબર પડે. એ બીજમાંથી વૃક્ષ જ્યારે થાય છે ત્યારે ખ્યાલ આવે છે. એવું થાય છે. ૫૪૫થયો.
પત્રાંક-૫૪૬
મુંબઈ, માગશર વદ ૩, શુક, ૧૯૫૧ પ્ર.- જેનું મધ્ય નહીં, અર્ધ નહીં, અછેદ્ય, અભેદ્ય એ આદિ પરમાણુની વ્યાખ્યા શ્રી જિને કહી છે, ત્યારે તેને અનંત પર્યાય શી રીતે ઘટે ? અથવા પર્યાય તે એક પરમાણુનું બીજું નામ હશે કે શી રીતે ? એ પ્રશ્નનું પત્ર પહોંચ્યું હતું. તેનું સમાધાનઃપ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે. અનંત પયય વિનાનો કોઈ