Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૦ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૪૩
આ પ્રમાણે તડના વિષે સપના ભ્રમ પેદા થયા હતા તે પ્રકાશ વડે દૂર થયેા. જો પ્રકાશ કરવામાં આવ્યા ન હેાત તા ભ્રમનું નિવારણ થાત નહિ. જે પ્રમાણે ભ્રમથી તરાડને પણ સાપ માનવામાં આવ્યા તે પ્રમાણે સંસારમાં પણ ભ્રમ ફેલાઈ રહ્યા છે! જો કે કોઈ પ્રકારના ભ્રમથી આત્મા જડ બની શકતા નથી તેમ જડ પદાર્થો ચૈતન્ય ખની શકતા નથી પણ ભ્રમને કારણે આત્મા કલ્પનાની ભ્રમજાળમાં ફસાઈ જઈ આત્મસ્વરૂપ ભૂલી જાય છે અને જન્મમરણનાં ફેરા ફર્યાં કરે છે.
મેં શંકરાચાય કૃત વેદાન્તનું ભાષ્ય હમણાં જોયું છે, તેમાં મને તે જૈનદર્શનના જ વિચારા જોવામાં આવ્યા અને તે ઉપરથી હું એ નિશ્ચય ઉપર આવી પહોંચ્યા કે, જૈન દર્શનની સહાયતા વિના વસ્તુનું બરાબર પ્રતિપાદન થઈ શકતું નથી. જૈનદર્શનને તેમાં સમાવેશ કેવી રીતે થાય છે તે વિષે કેાઈ શાન્તિથી બેસી વિચાર કરે તે તેનેસમજાવી શકું. વેદાન્તીએ ‘ વો કા દિતીયો નારિત ' અર્થાત્ ‘ એક બ્રહ્મ જ છે, બીજાં કાંઈ નથી' એમ કહે છે પણ ભાષ્યમાં કહ્યું છે કેઃ— युष्मदस्मत्प्रत्ययगोचरयोः विषयविषयिणोः तमः प्रकाशवद्विरुद्धस्वभावयोः
—શકરભાષ્ય.
અર્થાત્-યુષ્કૃત્ અને અસ્મદ્ અર્થાત્ વિષય અને વિષયીને જાણનારા પરસ્પર અંધકાર અને પ્રકાશની માફક પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા છે.
આ પ્રમાણે ભાષ્યકારે એ બન્નેના સ્વભાવ ભિન્ન માન્યા છે અને એક બીજાને અંધકાર અને પ્રકાશની માફ્ક ભિન્ન સ્વભાવવાળા માની એમ પ્રતિપાદન કર્યું છે કે, એ બન્ને એક સ્વભાવવાળા થઈ શકતા નથી. જૈન સિદ્ધાન્ત પણ એ જ વાત કહે છે કે, જડ તથા ચૈતન્યને સ્વભાવ તથા ધર્મ ભિન્ન છે અને તેથી જડ ચૈતન્ય થતું નથી અને ચૈતન્ય જન્મ બની શકતું નથી. આ દૃષ્ટિએ ભાષ્યનું આ કથન જૈનશાસ્ત્ર અને જૈનદર્શનનું પ્રતિકૂલ નહિ પણ સમČક છે, પરંતુ વેદાન્તીના • પક્ષો પ્રજ્ઞ દિતીયો નાસ્તિ 'એ સિદ્ધાન્તથી પ્રતિકૂલ જાય છે; કારણ કે જ્યારે અંધકાર અને પ્રકાશની માફ્ક વિરુદ્ધ સ્વભાવજવાં જોઈએ પણ એ ભિન્ન સ્વભાવના પછી એક બ્રહ્મની સિવાય બીજું કાંઇ નથી
એક બ્રહ્મની સિવાય ખીજાં કાંઇ નથી ત્યારે વાળા યુધ્મદ્ અને અસ્મતૢ એકમાં મળી હાવાથી એક બ્રહ્મમાં મળી શકતા નથી તેા એ સિદ્ધાંત કયાં રહ્યો! અહીં તો એ હાવાને કારણે એક બ્રહ્મની સિદ્ધિ થઈ નહિ. આ પ્રમાણે વિચાર કરવાથી જૈન તત્ત્વની સબ્યાપકતા જણાશે અને નિશ્ચય થશે કે, જૈનદર્શનની સહાયતા વિના વસ્તુસ્વરૂપનું બરાબર પ્રતિપાદન થઈ શકતું નથી.
મતલબ કે, જે પ્રમાણે દેરીના વિષે સર્પની કલ્પના કરવામાં આવે છે તે પ્રમાણે હું દુબળા છું, હું લંગડા છું, વગેરે કલ્પનાએ કરવામાં આવે છે પણ વિચાર કરવાથી જણાશે કે એ બધી કેવળ કલ્પનાએ જ છે.
શરીરનાં અંગેપાંગા દુબળાં, લૂલાં કે લંગડાં છે પણ આત્મા એવા નથી. આત્મા અને શરીર બન્નેને સ્વભાવ ભિન્ન છે, છતાં આત્મા ભ્રમને કારણે એક માની રહ્યા છે અને એવી અનેક કલ્પનાએ કરી રહ્યો છે ! આ ભ્રમણાને ભાંગવા માટે અને જન્મ