Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 687
________________ ૬૪૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક નથી. જે કાયર હેય છે તે પિતાના વિચારોને દબાવી રાખે છે. તમારા લેકેમાં એવી કાયરતા છે, કે તમે લેકે પિતાની ભૂલને જાણવા છતાં દાબી રાખો છે. આમ કરીને તમે પિતાનું અહિત કરે છે, પણ સાથે સાથે બીજાઓનું પણ અહિત કરે છે. જો તમને તમારી ભૂલ જણાય તે તમે તેને પ્રકટ કરી દે, કે જેથી બીજા લોકો પણ એમ સમજવા લાગે, કે આમ કરવું કે આમ માનવું એ ભૂલ છે. આ પ્રમાણે ભૂલને પ્રકટ કરવાથી પિતાનું પણ હિત થાય અને સાથે સાથે બીજાઓનું પણ હિત થાય. રાજાનું કાર્ય જોઈ તમે પણ તમારે ભૂતકાળ જુઓ અને ભૂતકાળમાં જે પાપ ક્ય હેય તેને જોઈ નાંખે તે તેમાં કલ્યાણ જ છે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૩ કારતક સુદી ૮ રવિવાર પ્રાર્થના કાકદી નગરી ભલી હે, શ્રી સુગ્રીવ નૃપાલા - રામા તસુ પટરાયની હો, તો શ્રી સુવિધિ જિનેશ્વર વંદિએ હે. ૧ –વિનયચંદ્રજી કુંભા વીશી ચા સવિધિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ' પરમાત્મા કયાં છે એવી જિજ્ઞાસા પ્રત્યેક વ્યક્તિને પેદા થાય છે, અને આ જિજ્ઞાસાની પૂર્તિ માટે અનેક પ્રકારનાં તર્કો ચલાવવામાં આવે છે અને અનેક પ્રકારે આ જિજ્ઞાસાનું સમાધાન પણ કરવામાં આવે છે. પણ જેન સિદ્ધાન્ત કહે છે કે, આ જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે અહીંતહીં ન ભટકતાં તમારા આત્માને જ જુઓ. પરમાત્મા કયાંય બહાર નથી. એ તે તમારા આત્મામાં જ છે. આજે તમારે આત્મા કર્માવરણોથી ઢંકાઈ ગયો છે અને એ જ કારણે તેને પરમાત્મત્વને ગુણ પણ ઢંકાઈ ગયો છે. નહિ તે તમારા આત્મામાં અને પરમાત્મામાં કાંઈ અંતર નથી. કર્માવરણો દૂર થતાં જ પરમાત્મા ક્યાં છે તેની તમને ખબર પડશે. પરમાત્માની પ્રાર્થના પણ એ કર્યાવરણને દૂર કરવા માટે જ કરવામાં આવે છે. પરમાત્માની પ્રાર્થના કર્માવરણને દૂર કરવાનું સાધન છે અને કર્માવરણને દૂર કરવાં એ સાધ્ય છે. જે આ સાધનઠારા સાધ્યની પૂર્તિ થઈ શકતી ન હોય અને કર્માવરણોને દૂર કરવા છતાં પણ આત્મા પરમાત્મા બની શકતા ન હોય તો પછી ઈશ્વરને એક જુદી અને તટસ્થ વ્યક્તિ માનવી પડશે. તે વ્યક્તિવિશેષ ઈશ્વર કર્માવરણોથી લિપ્ત થએલ છે એમ માનવું પડશે. પણ આમ માનવું કે આવી કલ્પના કરવી એ ઠીક કે કલ્યાણકારી નથી. એટલા માટે જેન સિદ્ધાન્ત એમ કહે છે કે, આ આત્માનાં કર્માવરણ દૂર થતાં આ આત્મા જ પરમાત્માનાં ગુણોને પ્રકટ કરી લે છે અને એટલા જ માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે. સાધનને ઉપગ સાષ્યની પૂર્તિ માટે જ કરવામાં આવે છે પણ જ્યારે સાધ્ય જ ન હોય તે પછી સાધનો ઉપયોગ જ શા માટે કરવામાં આવે! આ પ્રમાણે પરમાત્માની

Loading...

Page Navigation
1 ... 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736