Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 698
________________ શુદી ૧૦] રાજકેટ–ચાતુર્માસ [ ૬૫ ૭ કરવી અને પરમાત્મા પાસેથી જડવસ્તુની કામના કરવી એ કોઈપણ રીતે ઉચિત નથી. પરમાત્માને જડવસ્તુની સાથે કોઈ સંબંધ નથી. એટલા માટે પરમાત્મા પાસે જડવસ્તુની કામના ન કરે તેમ પરમાત્માને જડવતુ આપનાર કલ્પવૃક્ષની સમાન કલ્પવૃક્ષ પણ ન માને. પરમાત્મા તો એવા કલ્પવૃક્ષ સમાન છે કે જે વસ્તુ જડ કલ્પવૃક્ષ દ્વારા મળી શકતી નથી તે વસ્તુ તેની દ્વારા મળી શકે છે. પરમાત્મારૂપી કલ્પવૃક્ષની સેવા કરવા માટે તમે જે તમારાં પાપ અને દુર્ગણે તેમની સમક્ષ નગ્ન સ્વરૂપમાં પ્રગટ કરી દેશે અને ભવિષ્યમાં પાપાચરણ નહિ કરવાનો નિશ્ચય કરશે તે તમારે આત્મા નિષ્પાપ બની ઉર્ધ્વગામી અવશ્ય બનશે. . અનાથી મુનિને અધિકાર–૭૫ રાજા શ્રેણિક, અનાથી મુનિદ્વારા આ વાત સમજવાને કારણે જ, જ્યાં તે સનાથતા જેતે હતો ત્યાં અનાથતા જોવા લાગે અને જ્યાં અનાથતા જેતે હતો ત્યાં સનાથતા જોવા લાગ્યો. પહેલાં તે મુનિને એમ કહેતું હતું કે, તમારો નાથ બનું છું પણ જ્યારે તેનું હૃદય નિર્મલ થઈ ગયું ત્યારે તે કહેવા લાગ્યો કે, “હે ! મુનિ! આપ જ સનાથ છે અને બધાં પ્રાણુઓના સ્વામી છે.” ગુરુને ઓળખવાનું સાધન સનાથતા જ છે. જે જડ વસ્તુઓ સાથે મમતા રાખવામાં આવે છે તે જડ વસ્તુઓ અનાથતા વધારનારી છે, એટલા માટે જે એવી વસ્તુઓ ઉપર મમત્વ રાખે છે તે ગુરુ બનવાને ગ્ય નથી. ગુરુ બનવાને યોગ્ય છે તે જ છે કે, જેનામાં આવી વસ્તુઓ ઉપર મમત્વ જ નથી. ૩૬ નંબર લખવામાં ૩ અને ૬ નંબરને ઊલટા જ રાખવા પડે છે. જો કેઈ માણસ ૩૬ નંબર લખવા ચાહત હોય, અને ૩ અને ૬ નંબરને સામે સામે-સન્મુખ લખવા ચાહતા હોય તે તે ૩૩ કે ૬૩ કે ૬૬ નંબર ભલે લખી શકે, પણ ૩૬ નંબર લખવા માટે તે તેણે નંબરેને ઊલટા જ રાખવા પડશે. આ જ પ્રમાણે મુનિ મહાત્મામાં કેણ સનાથ છે એ વાતને નિર્ણય કરવા માટે જે પ્રમાણે ૩૬ નંબરમાં બન્ને અંકેનું મુખ વિપરીત રહે છે, તે જ પ્રમાણે જે સંસારથી તદ્દન વિમુખ રહે છે તે જ સનાથ છે, એમ સમજવું જોઈએ. સનાથ પણ બનવા ચાહે અને સંસારનાં પદાર્થો ઉપર મમત્વ પણ રાખવા ચાહે તે એ બને વાત બની શકતી નથી. જ્યાં સુધી સંસારનું મમત્વ ન છૂટે અને પુદ્ગલેનું મમત્વ રહે ત્યાં સુધી આત્મા અનાથ જ છે, સનાથ નથી. જે બીજાની ચીજ ઉપર દષ્ટિ નાંખે છે કે તેને લેવા ચાહે છે કે લે છે, તેને સંસારવ્યવહારમાં ચાર કે ઉઠાઉગીર કહેવામાં આવે છે. આ જ પ્રમાણે નિશ્ચયમાં પણ જે પરવતુ ઉપર મમત્વ રાખે છે તે અનાથ છે, સનાથ નથી. - આ ઉપરથી કોઈ એમ કહે કે, સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ ઉતાર એ વાત તે બરાબર છે પણ જે સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ એકદમ છૂટી ન શકે તે એ દિશામાં શું કરવું? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે જો સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ એકદમ છૂટી ન શકે તે તેનું સ્વરૂપ તે જાણે અને એ સંસારનાં પદાર્થો અનાથતામાં પાડનારાં છે પણ સનાથતા લાવનારાં નથી એટલું તે અવશ્ય માને ! જે આ પ્રમાણે સાંસારિક ૩૮

Loading...

Page Navigation
1 ... 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736