Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૭૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કાતક
જ કહ્યું છે કે, જે સંયમ ધારણ કરી સંયમની ક્રિયા કરતા નથી તે અનાથ જ છે. એટલા માટે જ્ઞાનની સાથે જ ક્રિયાની પણુ આવશ્યક્તા છે.
શ્રી આચારાંગ સૂત્રની નિયુક્તિમાં જ્ઞાન અને ક્રિયાનું ધણું મહત્ત્વ બતાવવામાં આવેલ છે. આ વાતને સમાવવા માટે એક દૃષ્ટાન્ત આપું છું. કદાચ કાઈ કહે કે, આ દૃષ્ટાન્ત ક્યાં લખ્યું છે તે આને ઉત્તર એ છે કે, દૃષ્ટાંત લખેલું ન હેાવા છતાં કલ્પિત પણ હાય છે. દષ્ટાંત દ્વારા મારે તો પેાતાને ભાવ જ સમજાવવા છે. કાઈ કહે કે, શું દૃષ્ટાંતની પણ કલ્પના કરી શકાય છે અને એમ કરવાને કાઈને અધિકાર છે? તે આ પ્રશ્નના ઉત્તર એ છે કે શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં નિસ્રોક્ત આશયનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે કે:~
પાન ઝરતા દેખ કે, હસી જો કુ ંપલીયા; માય ખીતી તાય મીતસી, ધીરી ખાપરીયા.
શું કુંપળા પણ હસે છે ? નહિ. છતાં ભાવ બતાવવા માટે એની કલ્પના કરવામાં આવી છે. આ દૃષ્ટાંતના વિષયમાં કલ્પના કરવાના પણ અધિકાર છે છતાં જો હું કાઈ વાત સમભાવની બહારની કહું તો તમે મને સૂચિત કરા અને જે વાત સમભાવની કહું તેને તમે માને. હું તા એમ જ વિચારું છું કે, જે વાત તમે જાણુતા નથી તે વાત મારી પાસેથી લે અને જે વાત હું જાણુતા નથી તે વાત હું તમારી પાસેથી લઉં. કેટલીક વાતા તમે જાણા છે અને કેટલીક વાતા હું જાણું છું; એટલા માટે પરસ્પર વિચાર વિનિમય કરવા જોઈએ. કહેવાના આશય એ છે કે, નિયુ`ક્તિમાં જ્ઞાન અને ક્રિયાનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવેલ છે. એના વિષે એક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે જે આ પ્રમાણે છેઃ—
ઉયસેન નામના એક રાજા હતા. તેને વીરસેન અને સૂરસેન નામના બે પુત્ર હતાં, વીરસેન તા બધી ઇન્દ્રિયાથી પૂર્ણ હતા પણ સૂરસેન આંધળા હતા. વિવેકી માણસ જે જે કામને ચેાગ્ય હાય છે તેને તેવું કામ સોંપે છે. ઉદયસેને પણ પેાતાનાં બન્ને પુત્રાને યેાગ્યતાનુસાર જુદા જુદા પ્રકારની શિક્ષા આપી. આંધળા માણસા પ્રાયઃ ગાવાનું સારું જાણુતા હાય છે. સૂરદાસને વિષે પણ એમ કહેવામાં આવે છે કે, તે અધકવિ હતા. ઉયસેને સૂરસેનને તે ગાયનકલા શીખડાવી અને વીરસેનને ક્ષત્રિયાચિત યુદ્ધકલા શીખડાવી. સૂરસેને સાંભળ્યું કે, વીરસેનને તા ક્ષત્રિયાચિત યુદ્ધકલા શીખડાવવામાં આવે છે અને મને તે કલા શીખડાવવામાં આવતી નથી. એટલા માટે તે વિચાર કરવા લાગ્યા કે, હું તે। કાયર રહી જઈશ. આ પ્રમાણે વિચાર કરી તે પિતા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, પિતાજી ! હું યુદ્ધકલા શીખવા ચાહું છું. રાજાએ વિચાર્યું કે, જ્યારે તેનું હૃદય યુદ્ધકલા શીખવા ચાહે છે તેા તેના હુક્યની વૃત્તિ દબાવી રાખવી યોગ્ય નથી. આ પ્રમાણે વિચાર કરી રાજાએ યુદ્ધક્લા શીખડાવનારને તેને સોંપી દીધા. યુદ્ધકલા શીખડાવનાર યેાગ્ય અને હાશીયાર હતે! એટલા માટે તેણે સૂરસેનને બાણુવિદ્યા શીખડાવી દીધી પણ સૂરસેન આંધળા હતા એટલા માટે તે શબ્દના આધારે જ ખાણુ મારી શકતા હતા.
અન્ને કુમારા યેાગ્ય બન્યા. એકવાર યુદ્ધતા અવસર આવ્યેા. વીરસેને પેાતાના પિતાને ક્યું કે, ‘ પિતાજી ! આપે અમને યાગ્ય બનાવ્યા છે અને અમે પણ યાગ્ય બન્યા છીએ એટલે તમે હવે યુદ્ધમાં આવેા એ ઠીક નથી; એટલા માટે હું યુદ્ધમાં જઈશ, ’ વીરસેનનું આ