Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 715
________________ ૬૭૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક દુઃખોથી પણ મુક્ત થશે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું અર્થાત જાણી લેવું કે સાંભળી લેવું એ કાંઈ કામનું નથી પણ જ્ઞાનાનુસાર ક્રિયા કરવામાં આવે ત્યારે જ જ્ઞાન સફળ બને છે. - આજે જે રેગ-દુઃખ વગેરે પેદા થાય છે તેનું પ્રધાન કારણ જ્ઞાનયુક્ત ક્રિયા ન કરવી એ છે. કેટલાક લેકે કહે છે કે વેદનીય કર્મોના ઉદયથી રોગો પેદા થાય છે પણ વિચારવાનું અત્રે એ છે કે, વેદનીય કર્મની ક્રિયા કોણ કરે છે! તમે જે ચાહો તો વેદનીય કર્મને પેદા પણ કરી શકે છે અને નષ્ટ પણ કરી શકે છે. એટલા માટે કેવળ વેદનીય કર્મને દોષ કાઢી બેસી ન જાઓ. શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે, રોગ થવાનાં નવ કારણે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, હે ! જગજીવો ! મેં જ્ઞાનઠારા જોયું છે કે નવા કારણોથી રોગ પેદા થાય છે. આ નવ કારણે ઉપર સાવધાની રાખવામાં આવે તે રોગોથી બચી શકાય. પહેલું કારણ અતિ આસન કે અતિ અશન છે. એક જ આસન ઉપર શક્તિથી વધારે બેસવામાં આવે તે પણ રેગ પેદા થાય છે અને બહુ ખાવાથી રોગ પેદા થાય છે. વૈદ્યો કહે છે કે, બહુ બેસવાથી જ હરસ આદિ રોગો પેદા થાય છે. આ જ પ્રમાણે બહુ ખાવાથી પણ રોગ પેદા થાય છે. એક ઉદૂ શાયરે ઠીક જ કહ્યું છે કે : વિના ભૂખ ખાના ઔર રોગ કે બુલાના.” ભૂખ ન હોવા છતાં વધારે ખાવું એ જ રેગનું મુખ્ય કારણ છે. મજુર લેકે લૂખીસૂકી રોટલી જ ખાય છે અને શેઠ-શેઠાણી માલતલિ ઉડાવે છે. પણ રેગી વધારે કેણ હેય છે? મજૂર કે શેઠ શ્રીમંતે એમ તે એક પૈસે પણ ન આપે પણ વેંકટરાને માટે તે ખીસ્સાં ખાલી જ કરી દે છે. પરંતુ એનું શું કારણ છે? મારા આ કથન ઉપરથી ડોકટરે કદાચ એમ કહેતા હશે કે, અમારા રોજગાર ઉપર કુઠારાઘાત કરે છે પણ એ વિચારથી સત્ય વાતને કેમ દબાવી શકું ? એમ તે વેશ્યાગમનને ત્યાગ કરાવવાથી વેશ્યાઓ પણ એમ કહી શકે કે, અમારે રોજગાર બગાડે છે. આ જ પ્રમાણે શરાબને નિષેધ કરવાથી કલાલે પણ એમ કહી શકે કે, અમારો રોજગાર બગાડે છે. આ પ્રમાણે સંસારમાં લેકે કહ્યા જ કરે છે પણ જે ભગવાનના વચનાનુસાર વ્યવહાર રાખવામાં આવે તે રોગી થવાનું કે દુઃખી બનવાનું કઈ કારણ નથી. અતિ ભજન પણ રેગનું કારણ છે. કેટલાક ભેજનર લેકે વધારે ખાવા માટે ભાંગ પણ પીએ છે, પણ આ પ્રમાણે વિશેષ ખાવાથી અજીર્ણ-ખાંસી વગેરે રોગ પેદા થવા પામે છે. રોગ પેદા થવાનું બીજું કારણ અહિતકારી આસન ઉપર બેસવું એ છે. આસન કેવું રહેવું જોઈએ એને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, કઠિન અને સ્થિર આસન ઉપર બેસવાથી હાનિ થાય છે અને કેમલ આસન ઉપર બેસવાથી લાભ થાય છે. આજે તે લેકોને પત્થરનાં મકાને પસંદ છે પણ એટલું વિચારતા નથી કે પત્થર ઉપર બેસવામાં અને માટી ઉપર બેસવામાં કેટલું બધું અંતર રહેલું છે! આજે મકાન તે પાકું બનાવવામાં આવે છે પણ મકાન પાકું બનાવી શરીર કાચું બનાવવામાં આવે છે. કેવી ખુરશી ઉપર બેસવાથી લાભ થાય છે, અને કેવી ખુરશી ઉપર બેસવાથી હાનિ થાય છે એ વાત યુરોપીય લેકે પણ સમજવા લાગ્યા છે પણ ભારતીય લેકે એ વાત જાણવાનો પ્રયત્ન પણ કરતા નથી કિન્તુ કેવળ અનુકરણ કરવા લાગે છે.

Loading...

Page Navigation
1 ... 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736