Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 690
________________ શુદી ૮] રાજકેટ-ચાતુર્માસ [૬૪૯ હોય તે કટુ શબ્દો તેને શું કરી શકે? પિતાનામાં રહેલા ક્રોધને ક્ષમાદ્વારા દબાવી દેવામાં આવે તે ગમે તેવા કટુ શબ્દથી તેને ક્રોધ પેદા નહિ થાય. આ પ્રમાણે ક્ષમાને આશરો લેવાથી તાત્કાલિક લાભ થયો કે નહિ ? ક્રોધને કારણે પેદા થતી આંખમાં બળતરા, માથાનું ભમવું અને છાતીનું ધડકવું ક્ષમાથી બંધ થઈ ગયું કે નહિ ? * ક્ષમાને આશરો લેવાથી આ પ્રમાણે તાત્કાલિક લાભ પણ થાય છે. જે ક્ષમાનો આશરે લેવામાં આવે તે માનસિક શાન્તિ પણ રહે અને એ દિશામાં ચહેરા ઉપર ફીકાશ પણ ન રહે. તમને લોકોને ખાવાની કોઈ ખામી નથી પરંતુ માનસિક શાન્તિની ખામી છે અને એ કારણે જ તમારા ચહેરા ઉપર ફીકાશ જોવામાં આવે છે. આ ઉપરથી એ પણ સ્પષ્ટ જણાય છે કે, શારીરિક ખોરાકની સાથે જ માનસિક શાન્તિના ખોરાકની પણ આવશ્યક્તા રહે છે. જે લેકને માનસિક શાન્તિ મળે છે તે લેકેને શારીરિક ખોરાક તમારા જેવો ન મળવા છતાં તેઓ આનંદમાં રહે છે. અને જેમને શારીરિક ખોરાક તે પૂરત મળે છે પણ માનસિક શાન્તિ તેટલા પ્રમાણમાં મળતી નથી તેઓ હાયન્વય કરતા જ રહે છે અર્થાત તેઓ દુઃખી જ રહ્યા કરે છે. ક્ષમા માનસિક શાન્તિ આપે છે. જે પ્રમાણે પવન ન લાગે તે દીપક અખંડરૂપે બળે છે તે જ પ્રમાણે હૃદયમાં જે ક્ષમાને અખંડ દીપક પ્રજવલિત કરવામાં આવે તે તે વખતને આનંદ અને તે વખતની શાન્તિની વાત જ શી કરવી? મતલબ કે, ક્રોધ કટુ શબ્દોથી આવતું નથી પરંતુ પિતાનામાં જ ક્રોધ છે, કે જે કટુ શબ્દોની અથડામણથી એકદમ પેદા થઈ જાય છે. પણ આપણે પિતાને જોતા નથી એ જ મેટી ભૂલ થાય છે. જે આપણે પિતાને જોતા રહીએ તે પછી ગમે તેવા કટુ શબ્દો કાઈ કહે તે પણ ક્રોધ પેદા થઈ શકે નહિ. ઉદાહરણ તરીકે કઈ માણસ ઘરમાં જઈ રહ્યો છે પણ અસાવધાનીને કારણે થાંભલા સાથે તેનું માથું ભટકાયું. થાંભલે લાગવાને કારણે શું તે માણસ થાંભલા ઉપર ક્રોધ કરશે કે તેને મારશે? નહિ. તે તે એમ જ વિચારશે કે એ તે મારી જ ભૂલ થઈ હતી. આ જ પ્રમાણે જ્યારે સંસારનાં જડ પદાર્થો કે શબ્દ વગેરેની અથડામણ થાય છે ત્યારે જ્ઞાનીઓ પોતાની જ ભૂલ માને છે અને એમ વિચારે છે કે, મારા ઉપાદાનની જ ખામી છે. આ જ પ્રમાણે તમે પણ તમારા આત્માને તપાસ અને ક્રોધ પિદા થાય ત્યારે તમારી જ ખામી છે એમ માને તે તમને ક્રોધ જ પેદા નહિ થાય ! આ ઉપરથી કદાચ કઈ એમ કહે કે, જે પિતાની જ ભૂલ માનવામાં આવે તે પછી રાજવ્યવસ્થા બગડી જશે ! જ્યારે બીજાને અપરાધ જ માનવામાં ન આવે અને પિતાને જ અપરાધ માનવામાં આવે તો કેઈને દંડ આપવો પણ નકામે જશે અને જો કોઈ અપરાધીને દંડ જ આપવામાં ન આવે તે તે ગજબ જ થઈ જાય ને ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કોઈને દંડ આપ એ અપરાધને બદલે આપવા બરાબર છે. પરંતુ અપરાધને બદલે બે રીતે આપવામાં આવે છે. એક તે અપરાધને બદલે અપરાધ કરીને જ આપવામાં આવે છે અને બીજો અપરાધને બદલે અપરાધને દૂર કરી ક્ષમાદ્વારા આપવામાં આવે છે. એક તે થપ્પડને બદલે થપ્પડ મારીને આપવામાં આવે છે અને બીજો થપ્પડને બદલે ક્ષમાદ્વારા આપવામાં આવે છે. અપરાધને બદલે રાજા દંડ દ્વારા આપી અપરાધને બદલે અપરાધથી આપે છે પરંતુ જ્ઞાનીજને અપરાધને બદલે બીજી જ રીતે આપે છે. જ્ઞાનીજને અપરાધને બદલે કેવી ૩૭.

Loading...

Page Navigation
1 ... 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736