Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૯] રાજકોટ ચાતુર્માસ
[ ૬૧૩ તે પછી એ વૃક્ષ એ બીજમાંથી જ પેદા થયું કે બીજે ક્યાંયથી ? મેટી મટી જુની ઈમારતે ઉપર પણ વડનું ઝાડ ઉગી જાય છે. તે વડનું ઝાડ ત્યાં ક્યાંથી આવી ગયું ? એના ઉત્તરમાં એમ જ કહેવાશે કે, ત્યાં વડનું બી પડ્યું હશે એ કારણે જ એ બીજમાંથી વૃક્ષ ઉગવા પામ્યું છે.
આ પ્રમાણે જે સંસ્કાર છે તે જ બીજ કહેવાય છે અને બીજો અર્થ જ સંસ્કાર છે. સંસ્કારથી જ કર્મ થાય છે અને વિપાક પણ થાય છે. જ્યારે સંસ્કાર જ નથી તે પછી કર્મ કે વિપાક ક્યાંથી હોઈ શકે? ભગવાન અહંને સંસ્કારને નષ્ટ કરી મૂક્યા છે એટલા માટે
નામાં સંસ્કાર પણ નથી.
લડાઈમાં રાજા પોતે લડત નથી પણ યોદ્ધાઓ જ લડે છે, છતાં દ્ધાઓની હારને રાજા પિતાની હાર માને છે અને દ્ધાઓની જીતને પિતાની છત માને છે. કારણ કે રાજા યોદ્ધાઓને પિતાના માને છે. આ પ્રમાણે રાજાનો દ્ધાઓમાં અને યોદ્ધાઓને રાજામાં સંસ્કાર રહેલ છે.
સંસારમાં એમ તે બધા પદાર્થો પુદ્ગલ છે. પણ આત્મા જે પદાર્થોને પિતાના માને છે તેમને જ સંસ્કાર તેનામાં આવે છે. જે લેકે આ પ્રકારના સંસ્કારને આધીન છે, તે સાધારણ પુરુષો છે પણ જેમણે આ પ્રકારના સંસ્કારોને સંબંધ સર્વથા તેડી નાંખ્યો. છે તે પુરુષવિશેષ જ ઈશ્વર છે. એવા ઈશ્વરને પિતાનું સર્વસ્વ સમર્પણ કરી દેવું અને તેમની ભક્તિ કરવી એમાં જ સિદ્ધિ રહેલી છે.
પરમાત્માની ભક્તિ પ્રત્યેક જગ્યાએ કરી શકાય છે. ભક્તિનું સ્થાન અને સમયનાં બંધન નથી છતાં પરમાત્માની ભક્તિને માટે થડે પણ સમય ન કાઢો એ કેવી ભૂલ છે! પરમાત્માની ભક્તિ એવી છે કે એને પિતાની સાથે દરેક જગ્યાએ રાખી શકાય છે. જે સમયે સમુદ્રમાં દેવદ્વારા વહાણને તેફાને ચડાવવામાં આવ્યું હતું તેવા વિકટ સમયે પણ અરણક શ્રાવકે પરમાત્માની ભક્તિ પિતાની સાથે રાખી હતી. આવી ભક્તિને છોડીને બીજા કામમાં પડ્યા રહેવું એ કેવી ગંભીર ભૂલ છે ! શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે –
कणकुंडगं चइत्ता णं. विट्ठ भुंजइ सूयरो ।
एवं सीलं चइत्ता णं दुस्सीलं रमह मियो ॥ પરમાત્માની ભક્તિરૂપી શીલને ત્યાગ કરી સંસારના પદાર્થોની સાથે પ્રેમ કરનાર એવી ભૂલ કરે છે, જેવી ભૂલ થાળમાં પડેલાં કમોદના ચોખા છોડીને સૂવર વિષ્ટા ખાઈને કરે છે. ભગવાનની ભક્તિરૂપી શીલને ત્યાગ કરનાર પણ સૂવર જેવી જ ભૂલ કરે છે.
ભક્તજનો અને જ્ઞાનીજનો આ પ્રકારના હિતેપદેશ આપે છે. આથી વધારે બીજે હિતેપદેશ શું આપી શકાય ? તેઓ કહે છે કે, પરમાત્માની ભક્તિને ત્યાગ કરે એ પિતાના સ્વરૂપને ત્યાગ કરવા બરાબર છે. એટલા માટે પુદ્ગલેનાં પ્રલોભનમાં ન પડતાં પરમાત્માની ભક્તિમાં સંલગ્ન બને. જે સૂવર કદના ચખા ખાય તો શું તેનું પેટ નહિ ભરાય ? શું તેનું જીવન તે ચોખાદ્વારા નભી નહિ શકે ? જરૂર નભી શકે. આથી વિપરીત વિષ્ટા તે ચેખાને નિઃસાર ભાગ છે. એટલા માટે ચેખા ખાવાથી તેનું જીવન સારી રીતે નભી શકે; પણ સૂવર આ વાતને બરાબર સમજાતું નથી એટલે તે ભૂલ કરે છે, પણ આત્મા તે સૂવરથી