Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૧૩]
રાજ કાટ-ચાતુર્માસ
[૬૨૧
રાજા શ્રેણિક સંતુષ્ટ થયા અને બે હાથ જોડી મુનિને કહેવા લાગ્યા કે, આપે મને અનાથતાનું સ્વરૂપ બહુ જ સારી રીતે સમજાવ્યું.
રાજા જ્યાંસુધી અનાથતાના ભાવ સમજ્યા ન હતા ત્યાંસુધી તે એમ જ માનતા હતા કે, જેને દુનિયાની સ ́પત્તિ અધિક મળી હોય તે સનાથ છે અને જે દુનિયાની સંપત્તિથી રહિત છે તે અનાથ છે. રાજા શ્રેણિક તા એમ સમજતા જ હતા પણ તમે લેાકો પણ એમ જ સમજો છે ને! તમે અનાથાલયેા ખાયાં છે અને તેમાં, જેમને કોઈ ખાવા–પીવાનું આપનાર નથી, જેમની શિક્ષાને કાઈ પ્રબંધ કરનાર નથી, એવાઓને અનાથ માનવામાં આવે છે, અને એવા અનાથેાતે જ રાખવામાં આવે છે. આ પ્રમાણે રાજાની પહેલી સમજમાં અને તમારી સમજમાં શું અંતર રહ્યું ?
રાજા શ્રેણિક એને જ અનાથ માનતા હતા કે જેની પાસે સંસારની સંપત્તિ નથી; અને તેને જ સનાથ સમજતા હતા કે જેની પાસે સ'સારની વધારે સંપત્તિ છે. તે પેાતાને સનાથ માનતા હતા અને તેનું કારણ એ હતું કે, તેની પાસે સંસારની સંપત્તિ અધિક હતી. પેાતાને સનાથ માનતા હેાવાના કારણે જ તેણે અનાથી મુનિને એમ કહ્યું હતું કે, તમે આ ભરજુવાનીમાં આવા સુંદર અને સ્વરૂપવાન હેાવા છતાં સાધુ કેમ થયા ? આ પ્રશ્નના જવાબમાં મુનિએ કહ્યું કે, હું અનાથ હતા એ કારણે સાધુ થયા. ત્યારે રાજાએ કહ્યું કે, તમારા જેવા આવા સ્વસ્થ અને સુંદર શરીરવાળા અનાથ હાય એ કેમ બની શકે? ખેર ! હું આ વિષે વધારે વિવાદમાં ન પડતાં આપને એટલું જ કહું છું કે, ‘આપ અનાથ છે. તે હું આપના નાથ બનું છું. જ્યારે હું રાજા તમારા નાથ બનું છું, તે પછી તમારે જી... શું જોઈ એ ! તમે મારી સાથે ચાલે અને ભોગપભાગ કરેા. આ મનુષ્યજન્મને આમ ખરાબ ન કરેા. મારા રાજ્યમાં આવા સ્વસ્થ સુંદર શરીરવાળા લોકો આ પ્રમાણે જીવન ખરાબ કરે એ હું જોઈ શકે નહિ. '
શ્રેણિકે આ પ્રમાણે જે કાંઈ કહ્યું હતું તેનું કારણ એ જ હતું કે, તે સનાથ-અનાથનું વાસ્તવિક સ્વરૂપ જાણતા ન હતા. જેની પાસે સંસારની વધારે સપત્તિ હોય તે સનાથ છે એ તેનું અજ્ઞાન હતું. છતાં તે જેને સુધારે સમજતા હતા તે સુધારા કરવા માટે પણ તૈયાર થયા હતા. આજે પણ જગતમાં એને જ સુધારા માનવામાં આવે છે કે કોઈ ને પૌદ્ગલિક દૃષ્ટિથી દુ:ખી રહેવા ન દેવા. રાજા પણ આ જ સુધારા કરવા માટે તૈયાર થયા હતા અને મુનિને ભાગસામગ્રી આદિ આપી તેમનું દુ:ખ મટાડવા ચાહતા હતા. આથી વધારે તે તે કરી પણ શું શકતા હતા ? આત્માને ઉપર ચડાવવાનું આ પહેલું પગથિયું છે. કોઈને દુઃખી જોઈ તેનું દુ:ખ મટાડવાના પ્રયત્ન કરવા એ નીતિના પહેલા પગથિએ ચડીને જ આત્મા આગળ વધી શકે છે.
રાજા તા-આ પ્રમાણે મુનિનું દુઃખ મટાડવા માટે તૈયાર થઈ નીતિનું પહેલું પગથિયું ચડી ગયા હતા. પણ તમે તમારા માટે જીએ કે, તમે આ ચરિત્ર તા સાંભળેા છે પરંતુ તમે આ પ્રકારનું પહેલું પગથિયું ચડી ગયા છે કે નહિ અને તમે પણ કોઈ ને દુ:ખી જોઈ તેનું દુઃખ દૂર કરા છે કે નહિ ? કદાચ તમે એમ કહેા કે, રાજા જે દુઃખ મટાડવા માટે તૈયાર થયા હતા તે દુ:ખ મટાડવું એ તે સસારનું કામ છે પણ હું તમને પૂછું છું કે, શું તમે સ’સારમાં નથી? તમે પણ સંસારમાં જ ખેડા છે. છતાં જેમની કમાણીથી તમે