Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૩૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક શુદી ૫ ગુરુવાર
-*∞∞
પ્રાથના
[ કારતક
પદ્મ પ્રભુ પાવન નામ તિહારા, પતિત ઉધારનહારી, જદિપ ધીવર ભીલ કસાઈ, અતિ પાપીષ્ટ જમા; તદપિ જીવહિંસા તજ પ્રભુભજ, પાવૈ ભવનિધિ પાર. ॥ ૧ ॥ —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી
પદ્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં પરમાત્માના નામની મહિમા મુખ્યરૂપે ગાવામાં આવી છે. પરમાત્માના નામનું કેટલું માહાત્મ્ય છે એ તે જેમતે પરમાત્માના નામ ઉપર પૂર્ણ વિશ્વાસ છે. તે જ જાણી શકે છે. જો કે આ વિષે કહેવુ બહુ જ મુશ્કેલ છે પરંતુ જ્યારે તે વિષે ખેલવાના સમય આવે છે ત્યારે હૃદયમાં જે ભાવા આવે તે કહેવા જ પડે છે. એટલા માટે એ વિષે ઘેાડામાં કહું છું.
પરમાત્માના નામનું ઘણું માહાત્મ્ય છે પરંતુ પરમાત્માના નામમાં જેમને પૂર્ણ વિશ્વાસ હાય તેમને જ પરમાત્માના નામથી લાભ થઈ શકે છે. પરમાત્માનું નામ ખીજા મહાન્ કાર્યોની માફક લાભ પહોંચાડનારું છે. જ્યારે જેવા સમય હાય છે તે વખતે આત્માના કલ્યાણ માટે તેને જ ઉપાય શેાધી લેવામાં આવે છે. જ્યારે સંસારમાં શાન્તિ હેાય છે અને ખાવાપીવા વગેરે વિષે કાઈ પ્રકારનું કષ્ટ હાતું નથી તેવા સમયે આત્માના કલ્યાણ માટે ખીજા ઉપાયેા લેવામાં આવે છે. પણ જ્યારે સમય ઉપાધિમય હાય છે અને સંસારમાં અશાન્તિ વધતી જાય છે ત્યારે મહાન ઉપાયેા કામમાં લેવામાં આવતાં નથી. ત્યારે તે। સરલ અને સાધારણ ઉપાયેા જ વિચારવામાં આવે છે. શાસ્ત્રકારના મતે આ પંચમકાળ ધણા જ દુઃખમય છે. ખીજા લેાકા પણ આ કાળને કલિયુગ કહે છે અને એવી કાઈ વસ્તુ નથી કે જેના ઉપર કલિયુગને પ્રભાવ પડયા ન હેાય ! એટલું જ નહિ પણ ધર્મ ઉપર પણ કલિયુગની અસર પડી છે એમ કહે છે. ધર્મના નામે પણ અનેક ફાંટા પડી ગયા છે. સગ્રન્થા પ્રાયઃ લુપ્ત થઈ ગયાં છે અને તેને સ્થાને એવાં એવાં ગ્રન્થા રચવામાં આવ્યાં છે કે જેથી સારાં સિદ્ધાન્તાને પત્તો લાગવા પણ મુશ્કેલ થઈ રહ્યું છે. આ કાલ આવા વિષમ છે. પણ જ્ઞાનીઓ કહે છે કે, કાળની એ વિષમતાથી ગભરાવવાની જરૂર નથી. એક ષ્ટિએ જે સંકટ છે તે જ ખીજી દષ્ટિએ કલ્યાણનું સાધન પણ છે. એ સંકટમાં પણ કલ્યાણનું કોઈ રહસ્ય છુપાએલું છે. એ સંકટકાળને પણ પોતાને અનુકૂળ ખનાવવા એ જ જ્ઞાના મા છે. જ્ઞાન એ સંકટના સમયને પણ પેાતાને અનુકૂલ બનાવી દે છે અને કલ્યાણનું સાધન બની જાય છે.
સંકટકાળ પણ
કોઈ એમ કહે કે, જે સંકટ હેાય તેને તે દૂર કરવું જોઈએ. સંકટને પાતાને અનુકૂલ ક્રમ બનાવી શકાય ? પણ સંકટને દૂર કરવું એ તેા એક પ્રકારની દુલતા છે. સાચી વિશેષતા અને વીરતા તો સંકટના સમયે પણ સારી પેદા કરવામાં છે. માનેા કે, કેાઈ માણસે