Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
મુઠ્ઠી ૩]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૩૩
સ્થાવર જીવાના પણ નાથ બન્યા છે.' આ પ્રમાણે તમે તમારા પણ નાથ છે। અને જગતના પણ નાથ છે. હવે હું સારી રીતે સમજી શક્યા છું કે, વાસ્તવમાં હું તેા અનાથ જ છું. જે યાગક્ષેમ કરે તે જ નાથ છે; અર્થાત્ અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવે અને પ્રાપ્ત થએલી વસ્તુની રક્ષા કરે તે જ નાથ છે.
આ ઉપરથી કાઈ એમ કહે કે, આ વાત તો સ'સારવ્યવહારને શુ લાગુ પડે છે. જેમકે કેાઈ ભૂખ્યા માણસને કાઈ એ રાટલા આપ્યા અને એ રેટલાને ખાવા દોડતા કાગડાકૂતરાંને ભગાડયા.—આ પ્રમાણે તેણે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવી અને પ્રાપ્ત વસ્તુની રક્ષા કરી; એટલા માટે આમ કરનાર માણસ ખીજા માણસને નાથ થયા કે નહિ ?
આ પ્રશ્નનેા ઉત્તર એ છે કે, રાટલા આપીને અને રાટલાની રક્ષા કરીને તે ખીજા માણસના નાથ બન્યો કહેવાય નહિ. કારણ કે, જ્યારે તે પોતાના જ નાથ બન્યા નથી તા પછી ખીજાઓને નાથ કેમ બની શકે ? તે માણસે રાટલા આપી દયા કરી છે એમ તે અવસ્ય કહી શકાય પણ એ કારણે એ ખીજાના નાથ અન્યા છે એમ કહી શકાય નહિ. તે માણસે રાટલા આપી તેના શરીરની તે વખતે સહાયતા અવશ્ય કરી છે. પણ એ કારણે કાંઈ તે તેના નાથ બની જતા નથી. તે કાંઈ હમેશાંને માટે તેના શરીરની રક્ષા કરી શકે નહિ તેમ તેના આત્માની પણ કાંઈ રક્ષા કરી શકે નહિ.
કહેવાના આશય એ છે કે, જે યાગ-ક્ષેમ કરે તે નાથ છે; પણુ સંસારમાં કાઈ પણ એવા નથી કે જે સ્થાયીરૂપે યાગ-ક્ષેમ કરી શકે. યેાગ–ક્ષેમ કરનાર તેા સંયમ જ છે. એ કારણે જ રાજા શ્રેણિક અનાથી મુનિને કહે છે કે, “ હે ! સુનિ ! આપ જ સનાથ છે અને આપ તમારા પોતાના પણ નાથ છે અને સંસારના ખીન્ન બધા જીવાના પણુ નાથ છે.”
અત્રે એ પ્રશ્ન થાય છે કે, મુનિ પોતાના નાથ થયા એ તે ઠીક છે, પરંતુ ખીજાના નાથ કૈવી રીતે થયા ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, રાજા શ્રેણિક એમ તેા ન જાણે કેટલીવાર નરકે જાત પણ અનાથી મુનિ તેના નાથ થયા એ કારણે તેણે તીર્થંકર ગાત્ર બાંધી લીધું. આ પ્રમાણે મુનિ ખીજાના પણ નાથ થયા. સાધારણ રીતે પેાતાનું ઉપાદાન સારું હેવું આવશ્યક છે, પણ ઉપાદાનની સાથે નિમિત્ત પણ હોવું જોઈ એ; અને નિમિત્તની સાથે જ ઉપાદાનનું હાવું પણ આવશ્યક છે. જો પેાતાનું ઉપાદાન સારું ન હોય તેા નિમિત્તનું મળવું પણ નકામુ નીવડે છે. જેમકે સૂ` બધાને પ્રકાશ આપે છે પણ કાઈ આંધળા માણસ કહે કે, મને તે સૂર્ય પ્રકાશ આપતા નથી તે। એ માણસને એમ જ કહેવામાં આવે કે એમાં તારા ઉપાદાનને જ દોષ છે. આ જ પ્રમાણે અનાથી મુનિ તે બધાના નાથ છે પણ પેાતાનું ઉપાદાન સારું હાવું જોઈ એ.
રાજા શ્રેણિક કહે છે કે, “ હે! મુનિ ! આપ જ સનાથ છે અને આપ જ સમાંધવ છે. જે સહાયતા કરે તે બાંધવ છે. અંત સમય સુધી સહાયતા આપનાર સાચા બાંધવ પણ આપ જ છે. કારણ કે આપે જિનાત્તમ માગને પકડયા છે. એટલા માટે તમે જ સનાથ, સબાંધવ અને શરીરને સુલાભ લેનાર છે.”
રાજા શ્રેણિકની ભક્તિ જોઈ તમે પણ પરમાત્માને એવી પ્રાર્થના કરી કે, હે ! પ્રભો ! જે પ્રમાણે રાજાને મુનિ તરફ ભક્તિભાવ પ્રગટયો તે જ પ્રમાણે અમને તારા પ્રતિ ભક્તિભાવ પ્રગટ થાઓ. આ પ્રમાણે સાચા હ્રદયથી પરમાત્માની પ્રાર્થના કરા તે તમારું ક્યાણ થશે.
૩૫
>> s <