Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૬]
રાજકોટ–ચાતુર્માસ
[૫૯૫
વધારે હોવા છતાં પ્રકાશની હાનિ થઈ રહી છે અને તે પ્રકાશથી ઉન્મુખ છે. શુકલપક્ષમાં બીજને દિવસે પ્રકાશ ઓછો હોય છે પણ તે ક્રમશઃ વધતા હોય છે અને કૃષ્ણપક્ષમાં બીજને દિવસે પ્રકાશ વધારે હોય છે પણ તે ક્રમશઃ ઓછો થતો જાય છે.
અનાથી મુનિ આ જ વાતને દૃષ્ટિમાં રાખી એમ કહે છે કે, ભલે એક જ પગલું ભરે પણ તે મહાનિર્ચન્થના માર્ગે જ ભરે. આ પ્રમાણે ભલે મહાનિર્ગસ્થના માર્ગે એક જ પગલું ભરવામાં આવે છતાં તમારા માટે એમ જ કહેવામાં આવશે કે તમે મુક્તિના માર્ગે જ ચાલી રહ્યા છે!
અનાથી મુનિએ આ વાત જો કે બધાને માટે કહી છે પણ તમારા લેકેની અપેક્ષાએ અમારા-સાધુઓ-ઉપર એ વાતની વધારે જવાબદારી રહેલ છે; કારણ કે અમે ધર્મને માટે જ શિરમુંડન કરાવ્યું છે અને તમારો અને અમારે જે સંબંધ છે તે સંબંધ પણ ધર્મને કારણે જ છે, છતાં બને છે એવું કે, કોઈ કઈ સાધુઓ અને ગૃહસ્થને સંબંધ સંસારને માટે બની જાય છે. એટલા માટે સાધુઓએ આ વિષે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. - અનાથી મુનિએ જે કાંઈ કહ્યું છે તેને સાર એ જ છે કે, જ્ઞાન અને ક્રિયા બનેને જીવનમાં ઉતારવાં. કેટલાક લેકે તો કેવળ જ્ઞાનને જ માને છે અને કેટલાક લેકે કેવળ ક્રિયાને જ માને છે; પણ જૈનશાસ્ત્ર કહે છે કે, જ્ઞાન અને ક્રિયાના સમન્વયની આવશ્યક્તા છે. બન્નેને સમન્વય થાય તે જ કલ્યાણ થઈ શકે. જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે અને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. જે પંગુ-લંગ હોય છે તે જોઈ તે શકે છે પણ ચાલી શકતા નથી પરંતુ જે આંધળો હોય છે તે ચાલી તે શકે છે પણ જોઈ શકતા નથી. પણ જે બન્ને એકબીજાની સહાયતાથી કામ કરે તે બન્ને ચાલી પણ શકે છે અને યથેષ્ટ સ્થાને પહોંચી શકે છે. આ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું –
માને કે, એક સંઘે જંગલમાં પડાવ નાખ્યો. એ સંધની સાથે એક લંગડો અને એક આંધળો હતે. રાતના સમયે સંઘના બીજા લોકો તે ઉડીને ચાલ્યા ગયા પણ તે લંગડે અને આંધળો એ બન્ને રહી ગયા. કેવલ એ બે જ માણસો હતા. અને તે સ્થાન જંગલ હોવાથી ભયાનક હતું. સવારે ઉઠીને લંગડાએ જોયું કે, આ બધા લેકે ચાલ્યા ગયા છે અને કેવળ અમે બે જ જણે અહીં રહ્યા છીએ. તે લંગડાએ આંધળાને બધી હકીકત કહી સંભળાવી અને કહ્યું કે હવે શું કરવું! જે આપણે અહીં જ રહીશું તે જંગલના જાનવરો આપણને ફાડી ખાશે. હું સાથીઓ જે માર્ગે ગયા છે તે માર્ગ તે જોઈ શકું છું પણ લંગડો હોવાથી ચાલી શકતા નથી ત્યારે આંધળો કહેવા લાગ્યો કે, હું ચાલી તે શકું છું પણ જોઈ શકતા નથી.
તે વખતે જે તેઓ બન્ને સંપી ન જાય તે તેઓ બને ત્યાં જ રહી જાય અને જંગલી પશુઓ તેમને ફાડી ખાય; પણ બન્નેએ સંપીને એવો વિચાર કર્યો કે, આપણામાં એકને ચાલવાની શક્તિ છે અને એકને જોવાની શક્તિ છે. એટલા માટે આ બન્ને શક્તિને સમન્વય કરી આપણે જંગલમાંથી બહાર નીકળી જવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી આંધળાએ લંગડાને પિતાની કંધે બેસાડી દીધો અને લંગડો તેને માર્ગ બતાવવા લાગ્યો. લંગડો માર્ગ બતાવતે જતે હતો અને આંધળે ચાલતે જતા હતા. બન્નેને એક જ સ્થાને જવાનું હતું એટલા માટે બન્ને પિતાપિતાની શક્તિને સમન્વય કરી યથેષ્ટ સ્થાને પહોંચી ગયા. '