Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૦૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
નથી. જો તેણે બરાબર રીતે વ્યાયામ કરી હાત તા તેનું શરીર ખીજાએનાં આધાતા સહી શકે એવું બની શક્યું હાત. આ વિષે મહાભારતમાં આવેલું આ ઉદાહરણ ભાવિકજને માટે ઘણું જ ઉપયેગી છે. દુર્યોધનને યુધિષ્ઠિરે કહ્યું કે, “ હે ! દુર્યોધન ! જો તારું શરીર વજ્રનું બની જાય તે ભીમની ગદા તેા શું, ઇન્દ્રનું વા પણ તારા શરીરની હાનિ કરી શકે નહિ. તારા શરીરને વજ્ર જેવું બનાવવાને ઉપાય એ છે કે, તું એકવાર તારી ગુણવતી સતી માતાની દૃષ્ટિમાં નીકળી જા. તારા શરીર ઉપર તારી માતાની ષ્ટિ પડવાથી તારું શરીર વજ્ર જેવું બની જશે.”
આ ક્ષાત્રધર્મીનું ઉદાહરણ છે. ક્ષત્રિયેા કાયરતા લાવી આગળ પાછળના વિચાર કરતા નથી કિંતુ વીરતાનાં જ કામેા કરે છે. તે કાયરતાના પંથ ઉપર પગલું પણ ભરતા નથી પણ વીરતાના માર્ગે જ આગળ ધપતા જાય છે. દુર્યોધનને શરીર વજ્રમય બનાવવાના ઉપાય બતાવતી વખતે યુધિષ્ઠિરને એવા વિચાર સરખા પણુ ન આવ્યા કે, જો આનું શરીર વજ્રમય બની જશે તેા મારા ભાઈએનું શું થશે અને યુદ્ધનું પરિણામ કેવું આવશે ? વીર લેાકા આવી આડી અવળી વાતા કરતા નથી; તે તેા વીરતાની જ વાતા કરે છે.
**
યુધિષ્ઠિરે બતાવેલા ઉપાય જાણી દુર્ગંધન ત્યાંથી રવાના થયા અને પોતાની માતા ગાંધારી પાસે આવી બધી હકીકત કહી સંભળાવી. ગાંધારીએ બધી વાત સાંભળી દુર્ગંધનને કહ્યું કે, “ જેમની તારી ઉપર આટલી બધી કૃપા છે તે યુધિષ્ઠિરને તું દ્રોહ કર નહિ.” પણ દુર્યોધને ગાંધારીનું કહ્યું ન માન્યું અને એમ જ કહ્યું કે, “હું જેમ કહું છું તે પ્રમાણે તું કરી કે. તું તે! મારા શરીરને જોઈ વમય જ બનાવી દે.”
માતાનું હુંય કાઈ જુદા જ પ્રકારનું હેાય છે. તે પેાતાના પુત્રના અવગુણા જોતી નથી પણ તેનું કલ્યાણ જ જુએ છે.
ગાંધારીએ દુર્યોધનની ઇચ્છાનુસાર શરીર ઉપર દષ્ટિપાત કરવાની અનુમતિ આપી. જો કે યુધિષ્ઠિરે શરીરને વામય બનાવવાને જે ઉપાય બતાવ્યા હતા તેમાં નગ્ન થઈ નીકળવાની શરત કરી હતી પણ દુર્યોધનને માર્ગમાં કૃષ્ણે નગ્ન થઈ ન નીકળવાની સલાહ આપી હતી. એ સલાહાનુસાર તેણે પેાતાના ગુપ્તાંગને કાપીદ્વારા ઢાંકી દીધું અને તે માતાની દૃષ્ટિમાંથી પસાર થયા.
દુર્યોધન પેાતાની માતાની દષ્ટિમાંથી નીકળ્યા. તેની માતાની દિષ્ટ શરીરના જે ભાગ ઉપર પડી, શરીરને તે ભાગ વમય બની ગયા. પણ જે ભાગ કાપીનદ્વારા ઢંકાએલા હતા તે તેવા જ રહી ગયા, અર્થાત્ તે ભાગ વજ્રમય બની શક્યા નહિ.
ગદાયુદ્ધના સમયે ભીમ દુર્ગંધનના શરીર ઉપર ગદાના પ્રહાર કરતા હતા પણ દુર્ગંધનના શરીર ઉપર તેની કશી અસર પડતી ન હતી. ત્યારે કૃષ્ણે ભીમને કહ્યું કે, તમારી પ્રતિજ્ઞા દુર્યોધનની જાંઘ તેાડવાની છે તેા પછી તમે તેના શરીરના ખીજા ભાગ ઉપર પ્રહાર કેમ કરા છે ? ભીમ કૃષ્ણની આજ્ઞા માનતા હતા એટલે તેણે દુર્યોધનની જાંધ ઉપર ગદાના પ્રહાર કર્યાં. શરીરના તે ભાગ તા પહેલેથી જ કામલ હતા એટલે ગદાના પ્રહાર થતાં જ જાધ તૂટી ગઈ અને દુર્ગંધન નીચે ઢળી પડ્યો.
કહેવાના આશય એ છે કે, ભગવાનની પ્રા ના દૃષ્ટિમાં નીકળેલાને જગતનેા કાઈ પણ આાધાત લાગી
ગાંધારીની દૃષ્ટિ જેવી છે. પ્રાર્થનાની શકતા નથી, પરંતુ શરત એ છે કે,