Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૧ ]
રાજકેટ–ચાતુર્માસ
[૭૩
બજારમાં સડેલી નારંગી અને સારી નારંગી બન્ને પ્રકારની હોય છે. નારંગી તે બજોય છે પણ પૈસા આપી ખરીદનાર કેવી નારંગી ખરીદશે? આકા—પ્રકાર વગેરેમાં તે સડેલી નારંગી પણ સારી નારંગી જેવી જ હોય છે પણ ખરીદનાર કેવી નારંગી ખરીશે ? સારી નારંગી ખરીદશે, સડેલી નારંગી ખરીદશે નહિ. આ જ પ્રમાણે સિદ્ધાન્ત કહે છે કે, વેશભૂષા વગેરેમાં કુશલલિંગી પણ સાધુતા પાળનાર જેવો જ હોય છે પણ જે સાધુતાઅસાધુતાને પારખનાર હોય છે તે કુશલલિંગીને આદર આપી શકતા નથી.'
અનાથી મુનિ કહે છે કે, સાધુનું લિંગ–મુહપત્તિ ઓ વગેરે–તો ઋષશ્વરનું ચિન્હ છે. સાધુતા છે કે નહિ એ વાત તે પછી જણાય છે, પહેલાં તે ચિન્હ જ જોવામાં આવે છે. અને તે દ્વારા જ સાધુની પહેચાન થાય છે કે તે સાધુ છે. સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે –
“ોને સ્ક્રિનપોળ” અર્થાત–લોકમાં લિંગનું પણ પ્રોજન હોય છે. કે નિશ્ચયમાં લિંગની આવશ્યકતા રહેતી નથી પણ લોકોમાં તે લિંગની આવશ્યક્તા રહે છે. જે લિંગ ન હોય તે મર્યાદા તૂટી જાય છે. ઉદાહરણ તરીકે, આવશ્યકતા તે તળાવના પાણીની છે પણ પાળ વિના પાણી રહી શતું નથી. તે જ પ્રમાણે આવશ્યક્તા તે ધર્મની છે પણ સંસારમાં ધર્મ ચલાવે છે એટલા માટે લિંગની પણ આવશ્યક્તા છે. તળાવની પાળ બાંધવામાં જેવી મહેનત પડે છે તેવી મહેનત તેમાં પાણી લાવવામાં પડતી નથી. પાણીને બાંધવામાં આવે અને પાણી તળાવમાં પણ આવે છતાં જે તળાવના પાણીની આગળ પાળ બાંધવામાં ન આવે તે પાણી ટક્કર શકતું નથી. જે કોઈ માણસ પાળ તેડવા લાગે તે તેને એમ કહેવામાં નહિ આવે કે તું પાળને હાનિ પહોંચાડે છે પણ એમ કહેવામાં આવશે કે તું પાણીને પણ હાનિ પહોંચાડે છે.
આ જ પ્રમાણે દીક્ષા આપવામાં મહેનત કરવી પડતી નથી. દીક્ષા તે હૃદયમાં જ થાય છે પણ દીક્ષા આપવી અને મુહપત્તિ બાંધવી કે વેશ પહેરો એ તે દીક્ષાની પાળ બાંધવા સમાન છે. નિશ્ચયમાં તે જે પાઘડી બાંધેલા હોય છે તેવામાં પણ સાધુતા હૈઈ શકે છે પણ વેશની પાળ બાંધી ન હોવાને કારણે સાધુતા ટકી શકતી નથી. વેશ પણ કામની વસ્તુ છે અને સાધુતાને ટકાવવામાં તે પણ સહાયક છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિ ધ્યાનથી વિચલિત થઈ ગયા હતા પણ જ્યારે તેમણે પિતાના મસ્તક ઉપર હાથ ફેરવ્યો ત્યારે તેમને જણાયું કે, હું તે સાધુ છું અને આ શું કરી રહ્યો છું. આ પ્રમાણે જ્યારે તેમને ખ્યાલ આવ્યો ત્યારે તેઓ પાછો ધ્યાનમાં સ્થિર થયા. જે મસ્તક મુંડાવેલ ન હોત પણ જે મસ્તક ઉપર મુસ્ટ હેત તે શું તેઓ ધ્યાનમાં પાછા સ્થિર થઈ શક્યા હેત ? આ પ્રમાણે વેશ પણ સાધુતાની પાળ છે અને તેની આવશ્યક્તા પણ છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવાની પણ જરૂર છે કે, કેવળ પાળ, પાળ જ રહી ન જાય! જો કેઈ તળાવની પાળ તે બાંધવામાં આવી પણ જો તેમાં પાણી ન આવ્યું છે તે તળાવ ખાલી જ કહેવાશે. તે જ પ્રમાણે કેવળ વેશ જ ધારણ કરવામાં આવે અને સાધુતાનું પાલન કરવામાં ન આવે તે તે ખાલી તળાવના જેવું છે. પાણીની આવશ્યકતા હોવા છતાં પણ પાળની જરૂર રહે છે તેમ સાધુતાની આવશ્યક્તાની સાથે લિંગની પણ આવશ્યક્તા રહે છે. શાસ્ત્રમાં અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે –