Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
પ૩૪] .
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
અનાથીમુનિ કહે છે કે, જે લેકે સાધુ થઈને પણ પાછા અનાથ બની જાય છે તેઓ અનાથ તે બને જ છે પણ આ રીતે તેઓ પતિત પણ બને છે. તે લેકે પિતાની સાધુતાની કીંમત જાણતા નથી. અનાથી મુનિ સાધુઓને કહે છે કે, સાધુતામાં દેષ લાગે અને પછી દેશને દેષ ન માનો, એ સાધુતાથી પતિત થવા જેવું છે. એટલા માટે સાધુતાના પાલન વિષે સાવધાન રહે. અરિહન્તની આજ્ઞામાં ચાલનારને માટે કોઈ વાતની અપૂર્ણતા રહેતી નથી. કદાચ કોઈ વખતે કોઈ પ્રકારની અપૂર્ણતા જણાય છે એમ વિચારવું કે મારે તે પરિષહ સહીને પણ અરિહન્તની આજ્ઞાનું આરાધન કરવું છે. ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગાર મૂકવામાં આવ્યા હતાં. છતાં શું તેમણે એમ વિચાર્યું હતું કે, હું ભગવાનના શરણે આવ્યો છતાં મારા મસ્તક ઉપર અંગારાં મૂકવામાં આવે છે. તે પછી ભગવાનની આજ્ઞા માનવાનું ફલ શું મળ્યું? જે ગજસુકુમારમુનિ આમ વિચારત તે ગજબ જ થઈ જાત! ભગવાન નેમિનાથે ગજસુકુમાર મુનિની મુક્તિ થયા બાદ કૃષ્ણના કથનના જવાબમાં કહ્યું હતું કે, “ગજસુકુમાર મુનિને એક પુરુષ સહાયક મળ્યો હતો. જ્યારે ભગવાને પણ આમ કહ્યું. ત્યારે ગજસુકુમાર મુનિની ભાવના કેવી રહી હશે? આ વાતને ધ્યાનમાં રાખી કોઈ વાતની અપૂર્ણતા જણાય છે એમ વિચારો કે મારે તે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું છે. કેઈવાર આહાર ન મળે તે એમ વિચારવું કે આજે મને આહારપાણું મળ્યાં નથી અને મને બહુ ફુધા-પિપાસા લાગી છે; પરંતુ આ પ્રકારની સુધાદનીય ઘણીવાર મેં સહન કરી છે. એટલા માટે એવા સમયે વેદનાને સમતાપૂર્વક સહેવી અને ભગવાનનું ભજન કરવું જોઈએ.
આ પ્રમાણે વિચાર કરી કષ્ટના સમયે ઉચ્ચ ભાવના ભાવવામાં આવે તે તે વખતે કદાચિત્ આ શરીર પડી પણ જાય તે પણ આત્માનું તે કલ્યાણ જ થઈ જાય. આ પ્રમાણે દઢ રહી જે ધર્મનું પાલન કરે છે, તેને કઈ પ્રકારની અપૂર્ણતા જણાતી જ નથી. શાસ્ત્રમાં
देवा वि तं नमस्सन्ति, जस्त धम्मे सया मणो । જ્યારે દઢધમને દેવે પણ નમસ્કાર કરે છે તે એવા દઢધમી ને કઈ વાતની ખામી રહી શકે ? એટલા માટે જે પ્રમાણે સુદર્શન મુનિએ દઢતાપૂર્વક ધર્મનું પાલન કર્યું અને ધર્મને માટે જે કષ્ટો માથે પડયાં તે કષ્ટ સમતાપૂર્વક સહ્યાં તે જ પ્રમાણે તમે ધર્મનું પાલન કરે છે તેમાં કલ્યાણ છે. સુદર્શન ચરિત્ર–પ૯
કલાકુશલ જબ હી તુમ જાનું, ઈસસે વિલ ભેગ; એસા નર નહીં ઈસ દુનિયામે, રૂપ કલા ગુન જેગ. ધન૧ર૮ બની કપટ શ્રાવિકા વેશ્યા, મુનિ ભિક્ષા કે આયા; અન્દર લે કે તીન દિવસ તક, નાનાવિધ લલચાયા. ધન રા ધ્યાન ધ્રુવ જબ રહ્યા મુનીશ્વર, વેશ્યા તજે અભિમાન; વંદન કર મુનિજીક છેડે, વનમેં ઠીયા ધ્યાન ધન૧૩