Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૫૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[આસો તેમને વંદન-નમસ્કાર કરવાથી કેવી હાનિ થાય છે તે વિષે “સંબંધ સારી” નામક ગ્રન્થમાં કહ્યું છે કે –
पासत्थं वन्दमाणस्स, नैव कित्ती न निजरा होइ।
होई कायकिलेसो, अन्नाणं कम्न बन्धई ॥ આ ગાથા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, પહેલાં પણ પાસOા લોકોનું જોર હતું અને તે વખતે પણ તેમની વિરુદ્ધ આંદોલન કરવામાં આવતું હતું. જે સાધુને વેશ ધારણ કરે છે અને પાંચ મહાવ્રતને સ્વીકાર પણ કરે છે પણ તેનું જે સાધુ પાલન કરતું નથી તે પાસત્યા” કહેવાય છે. આવા પાસસ્થા સાધુને વંદન-નમસ્કાર કરવા તે શોભાસ્પદ નથી એમ આ ગાથામાં કહ્યું છે. કદાચ કોઈ કહે કે, પાસત્થા સાધુને વંદન-નમસ્કાર કરવામાં શોભા ન હોય તો શું વાંધે છે ? સંસારમાં અનેક કામો એવાં પણ કરવામાં આવે છે જે શોભનીય હોતાં નથી. આ જ પ્રમાણે પાસસ્થા સાધુઓને વંદન નમસ્કાર કરવામાં શભા ન હેય તે શું વાંધો છે ? તે આ પ્રશ્નના ઉત્તરમાં આ ગાળામાં જ આગળ કહેવામાં આવ્યું છે કે, પાસFા સાધુને વંદન-નમસ્કાર કરવાથી જરા પણ નિર્જરા થતી નથી. આ ઉપરથી કેઈએમ પણ કહે કે, સંસારમાં અનેક કામો એવા પણ હોય છે કે જેમના કરવાથી નિર્જરા થતી નથી. આ જ પ્રમાણે જે પાસસ્થા સાધુને વંદન કરવાથી નિર્જરા થતી ન હોય તે શું વાંધે છે ? તે આના ઉત્તરમાં કહ્યું છે કે, એમ કરવાથી કાયાને વ્યર્થ કષ્ટ જ થાય છે. કેઈ આ ઉપરથી એમ પણ કહે કે, અમે લેકે કાયાને કલેશ થાય એવાં અનેક કામ કરીએ છીએ; તે એ જ પ્રકારનું આ એક કામ વધારે થાય તે શું વાંધે છે તે આ પ્રશ્નના ઉત્તરમાં આ ગોથામાં કહ્યું છે કે, એમ કરવાથી અજ્ઞાનકર્મ બંધાય છે. તે પાસત્થા સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધના કરે છે એટલા માટે તેને વંદન કરવું એ જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનામાં સહાયતા આપવા બરાબર છે અને તે કારણે અજ્ઞાનકર્મ બંધાય છે. ભગવાને નિશીથ સૂત્રમાં કહ્યું છે કે –
जे भिक्खू पासत्थं वन्दइ वन्दन्तं वा साइज्जा
एवं जाव संसत्तं वन्दइ वन्दन्तं वा साइज्जइ । . ભગવાને આ કાંઈ કઈને દ્વેષથી કહ્યું નથી પરંતુ તમારા કલ્યાણને માટે જ કહ્યું છે. જ્યારે તમે એમ કહેશે કે, “અમે કેવળ હાડ-ચામડાના જ પૂજારી નથી પણ ગુણના પૂજારી છીએ. તમારે અમારી સાથે સંબંધ ભગવાનની આજ્ઞા માનવાને લીધે જ છે. જે તમે ભગવાનની આજ્ઞા માનતા ન હો તે પછી અમારે તમારી સાથેનો સંબંધ શું રહી શકે !' આ પ્રમાણે જ્યારે તમે કહેશે ત્યારે તે પાસસ્થા સાધુ પણ ઠેકાણે આવશે અને ત્યારે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં પહેલાં તેમને વિચાર કરવો પડશે. પણ જો તમે તેના પાસસ્થાપણાના સહાયક થઈ ગયા અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનામાં તમે સહાયતા આપી તે એ તો પાસસ્થાપણાને પોષણ આપવા જેવું અને પાયથા સાધુને વધારે બગાડવા જેવું છે કે નહિ ?
ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર સાધુઓને માટે અનાથી મુનિ એક પક્ષીનું ઉદાહરણ આપે છે. મહાપુરુષોની એવી ધારણા હોય છે કે, લૌકિક ઉદાહરણ આપી કહેવામાં આવેલી વાત જલ્દી સમજવામાં આવી જાય છે.