Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૨૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો કે દુઃખ માનીને ? જે તેઓ તેમાં દુઃખ માનતા હોય તે પ્રવૃત્તિ જ શા માટે કરે ? તે લેકે જો કે તેમાં સુખ માનીને જ પ્રવૃત્તિ કરે છે પણ વાસ્તવમાં તે બધામાં દુઃખ છે. ( આ પ્રમાણે સંસારમાં જેટલાં ખરાબ કામે છે તે ખરાબ કામે સુખ માનીને જ કરવામાં આવે છે. દુઃખ માનીને કરવામાં આવતાં નથી અને આ રીતે સંસાર દુઃખને પણ સુખ માની રહ્યો છે. જોકે પિતાના પુત્રોને સુધારવા માટે કોલેજોમાં મેકલે છે પણ ત્યાં કેવી રીતે કુળપરંપરા અને ધર્મનો નાશ થાય છે તે કોણ જુએ છે! જે પાપ લાખો રૂપિયા મળે છતાં કરવામાં આવતું નથી તે પાપ ત્યાં કરવામાં આવે છે. આમ હોવા છતાં પિતાના પુત્રોને ત્યાં એટલા માટે મોકલવામાં આવે છે કે અમારા પુત્રો ભણશે–ગણશે તે સુખી થશે. કઈ કઈ કૅલેજના વિષે સાંભળ્યું છે કે, ત્યાં જે અનીતિ થાય છે અને ત્યાં છોકરા છોકરીઓ જે અનર્થો કરે છે એ સાંભળતાં મેતમાં આંગળી દબાવી દેવી પડે છે. આ પ્રમાણે નૈતિક–જીવનમાં ખરાબી પેસવા પામી છે. એટલા માટે જ્યાં સુધી નૈતિક-જીવનમાં પલટ કરવામાં ન આવે ત્યાંસુધી આધ્યાત્મિક જીવન આવી જ કેમ શકે?
. સુદર્શન ચરિત્ર-પ૮ * હવે આ જ વાત સુદર્શનના ચરિત્રદ્વારા સમજાવું છું. તમારા પૂર્વજે કેવા હતા એ વાત સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓ. જેમના પૂર્વજો સુદર્શનની જેવા થઈ ગયા છે તે લેકે જે ખરાબ કામ આદરે તે શું તે શરમની વાત નથી ? સુદર્શન સાધુ તે પાછળથી થયા પણ પહેલાં તે તે શેઠ કહેવાતા હતા અને શ્રાવક હતા, પણ તે નામથી જ શેઠ કે શ્રાવક ન રહ્યા પણ નામ પ્રમાણે કામ પણ કરી બતાવ્યું. તમે સુદર્શનની કથા ઉપરથી જુઓ કે તમારા પૂર્વજો તમારા માટે કે આદર્શ ઉપસ્થિત કરી ગયા છે !'
દેખ મુનિકે ધાય પંડિતા, મન લાઈ રેષ;
હરિણું વેશ્યા કરી સમીક્ષા, બહેકાઈ ભર જોષ. ધન ૧૨૭ સુદર્શન શેઠે સંસારયાત્રાને પૂર્ણ કરી, જીવનસાધના કરવા માટે સંયમને ધારણ કર્યો. સુદર્શનના અત્યાર સુધીના ચરિત્રના આદર્શને તમારી સમક્ષ એટલા માટે ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે, જો તમે મુનિ અવસ્થાને પ્રાપ્ત કરી ન શકે તે પણ તેમનું ચરિત્ર તમને જે સબંધ આપે છે તે સદ્દબોધને તમે પણ તમારી સેગ્યતાનુસાર અપનાવે. બજારમાં રત્ન પણ હોય છે અને સામાન્ય ચીજો પણ છે. પરંતુ લેકે તે પોતપોતાની શક્તિ અનુસાર જ ચીજો ખરીદે છે. આ જ પ્રમાણે સુદર્શન શેઠના ચરિત્રમાંથી તમે જે સબોધ તમારા જીવનમાં ઉતારી શકે તે સદ્દબોધને તમે અવશ્ય અપનાવો.
સુદર્શન આગલા ભવમાં સુભગ નામને એક બાળક હતા, જે જિનદાસ શેઠને ત્યાં કર હતું અને જંગલમાં ગાયો ચરાવતે હતે. એક મહાત્માના સમાગમથી તે નવકાર મંત્રને એવો રસિક બન્યું હતું કે પેટમાં ખીલે ખેંચી જવા છતાં પણ નવકાર મંત્રનું ધ્યાન ન ભૂલ્યો પરંતુ તેના ઉપર દઢ રહ્યો હતો. - સુભગની નવકારમંત્ર ઉપરની આવી દઢ ભાવનાને કારણે જ તેને છવ સુદર્શન શેઠ તરીકે જન્મ પામ્યો હતો, જન્મ પામીને તે કેવી શિક્ષાને પામ્યા અને તેમણે કેવી ઉચ્ચ ભાવના કેળવી હતી. તે વાતની સમજ તેઓ કપિલા અને અભયના ફંદામાંથી કેવી રીતે