Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૧].
રાજકોટ–ચાતુર્માસ
[૫૨૫
જાણી શકે છે. એટલા માટે જડ ચૈતન્યને વિવેક કરી એમ માનવું જોઈએ કે, “હે! આત્મા! આ સંસારમાં દુઃખ આપનાર બીજું કઈ નથી પણ તું પોતે જ પિતાને દુઃખ આપનાર છે.” જે આ પ્રમાણે માને તેનું ચિત્ત સંસારમાં રોકી શકે ખરું? જે આ પ્રકારની સંવેદનાનું ધ્યાન રાખે છે તેનું ચિત્ત સંસારમાં જશે નહિ પણ અમૃત ભાવનામાં જ જશે. જે મહાત્માઓ આ વાતને બરાબર સમજે છે તેઓ સંસારનાં પદાર્થોથી લલચાઈ જતા નથી પણ તે પદાર્થોથી વિરક્ત રહે છે. તેઓ કોઈની નિંદામાં પણ પડતા નથી પરંતુ રાગદ્વેષને ત્યાગ કરી આત્માનું કલ્યાણ સાધે છે.
કોઈ માણસને જે ચાબુક મારવામાં આવે તે એક ચાબુક મારીને બીજે ચાબુક મારવા જતાં થોડા સમયનું અંતર તે પડશે જ પરંતુ જો કોઈને વિજળી જ પકડાવી દેવામાં આવે તે શું તેમાં થોડા સમયનું પણ અંતર પડશે ? નહિ. એ વિજળી તે પ્રાણ જાય ત્યાં સુધી દુઃખ જ આપતી રહેશે. આ જ પ્રમાણે અજ્ઞાન પણ સદાને માટે દુઃખ જ આપનાર છે.
હંમેશાંનું દુઃખ કેવા પ્રકારનું હોય છે! એની વ્યાખ્યા કરતાં જ્ઞાનીજને કહે છે કે, સંસારના લેકે તે સખ માને છે. તેને અમે દખ જ માનીએ છીએ. કોઈ બીમાર માણસ કેાઈ કપથ્ય પદાર્થ ખાવામાં આનંદ માને છે પણ ડૉકટર તે એને એમ જ કહેશે કે, તું આ શું કરી રહ્યો છે? એ વસ્તુ તે વધારે દુઃખરૂપ છે. આ રીતે જે પદાર્થના ઉપભેગમાં તે બિમાર માણસ આનંદ માની રહ્યો છે તે જ પદાર્થને ડર દુ:ખરૂપ બતાવી રહ્યા છે. તમે આ બનેમાંથી કોનું કહેવું સાચું માનશે ? તમે એમ જ કહેશે કે. ડૉકટર જે કાંઈ કહે છે તે ઠીક જ કહે છે. આ જ પ્રમાણે સાંસારિક લેકે અજ્ઞાનતાને કારણે જેમાં સુખ માને છે, જ્ઞાનીઅને તેને જ દુઃખરૂપ માને છે
દુઃખને સુખ કરી માનિયે, ભમિ કાલ અનંત લાખ ચોરાસી કી નિમેં, ભાખે શ્રી ભગવંત.
મુક્તિ મારગ દેયેલો. આત્મા સુખને દુઃખ અને દુઃખને સુખ માને છે, એટલા જ માટે ભગવાન અજિતનાથને માર્ગ મુશ્કેલીભર્યો જણાય છે. આત્મામાં આ જ અપૂર્ણતા છે. દુઃખને સુખ માનવાનું અજ્ઞાન મટી જાય તો ભગવાન અજિતનાથને માર્ગ સરલ બની જાય.
એક મિત્રે પોતાના મિત્રને કહ્યું કે, “આ સંસાર ઊલટા માર્ગે જઈ રહ્યો છે. સંસાર દુઃખને પણ સુખ માને છે.” આ સાંભળી બીજા મિત્રે કહ્યું કે, “તમે ભૂલી રહ્યા છે? કઈ દુઃખને સુખ માને ખરા ?” ત્યારે પહેલા મિત્રે કહ્યું કે, હું ઠીક કહું છું. નૈતિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારના જીવનમાં આમ જ થઈ રહ્યું છે.” પહેલા મિત્રનું આ કથન સાંભળી બીજા મિત્રે કહ્યું કે, “એ કેવી રીતે બને?” પહેલા મિત્રે જવાબ આપ્યો કે, “શું તમે એવા લેકે જોતા નથી કે જેઓ એમ કહે છે કે, કાલે ગમે તે થાય પણ આજે તે અમે મેજ ઉડાવીશું. ગાં–ભાંગ કે દારૂ પીશું. જે લેકે ગાંજો-ભાંગ કે દારૂ પીએ છે તેઓ શું તેમાં દુઃખ માનીને પીએ છે! તે લેકે તે તેમાં સુખ માનીને જ પીએ છે, પણ વાસ્તવમાં તેમાં સુખ છે કે દુઃખ ? વૈશ્યાગમન, ચેરી વગેરે સુખ માનીને કરવામાં આવે છે