Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
-
'
**
*
**
*
૯૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા સંસારમાં જ્ઞાની અને અજ્ઞાનીને આ પ્રકારનો ભેદ તે ચાલતા જ રહે છે. આ કથનાનુસાર સુદર્શન પણ અભયાના કૃત્ય વિષે એમજ વિચારતો હતો કે, આ માતા મારું કલ્યાણ કરી રહી છે. પોતાને તત્વજ્ઞાનની અગ્નિમાં હોમીને મારા આત્માને ઉજવલ બનાવી રહી છે. આ કારણે જ રાજાએ કાંઈ માંગવાનું કહ્યું કે તેણે “મારી માતાને કઈ પ્રકારનું કષ્ટ ના થાય એ જ માંગ્યું. 1 . આખરે સત્યને જ વિજ્ય થાય છે એ વાતને લક્ષ્યમાં રાખી સુદર્શનની માફક જે નિરપેક્ષ સત્યનું પાલન કરી ન શકે તે સાપેક્ષ સત્યનું તે અવશ્ય પાલન કરે. જે સંસાર વ્યવહારમાં રહે છે, તેમનીારા નિરપેક્ષ સત્યનું પાલન થઈ શકતું નથી. નિરપેક્ષ સત્યને તે તેઓ જ પાળી શકે છે કે જેઓ સંસારવ્યવહારના ત્યાગી છે. સંસાર-વ્યવહારમાં રહેનાર અમુક વાત સત્ય છે એમ માને છે અને જાણે છે પણ કાયદાની દૃષ્ટિએ તે વાત સત્યસિદ્ધ થતી નથી. આ પ્રમાણે તે નિરપેક્ષ સત્યની ઉપેક્ષા કરી દે છે અને તેથી તેની દ્વારા સાપેક્ષ સત્ય જ પાળી શકાય છે. જેમકે રાજા દધિવાહને પશ્ચાત્તાપ કરતાં એમ કહ્યું કે હું જાણ હતું કે, આ રાણીનું જ છળકપટ છે પરંતુ તમે બોલ્યા નહિ અને રાણીના સાક્ષીઓ હતા એટલે સાક્ષીઓના આધારે મારે નિર્ણય આપવો પડે. સાપેક્ષ સત્યનું પાલન કરવા માટે તમને શૂળીએ ચડાવવાને દંડ આપવો પડશે.” આ પ્રમાણે ગૃહસ્થદ્વારા નિરપેક્ષ સત્યનું પાલન થઈ શકતું નથી. પણ આજકાલ તો નિરપેક્ષ સત્યની વાત તે એક બાજુ રહી સાપેક્ષ સત્ય પણ પળાતું નથી. અને સાપેક્ષ સત્યને પણ ઉડાડી દેવામાં આવે છે અને આમ કરવામાં જે કુશળ હોય છે તે હોશીયાર વકીલ-બેરીસ્ટર માનવામાં આવે છે. તમારી ઉપર નિરપેક્ષ સત્યનું પાલન કરવાની જવાબદારી મૂકવામાં આવતી નથી, પરંતુ: સાપેક્ષ સત્યનું તે પાલન કરે. સુદર્શન શેઠે તે ગૃહસ્થ હોવા છતાં નિરપેક્ષ સત્યનું પાલન કર્યું હતું. તે પછી શું તમે સાપેક્ષ સત્યનું પાલન નહિ કરો ? ભક્ત તુકારામે કહ્યું છે કે –
સભ્ય તે જરા તુ મને તો ૪ દરી. ”, ' . . છે. અર્થાત-જ્યાં સત્ય બોલવામાં આવે છે ત્યાં જ ભગવાન છે. એટલા માટે તમે સાપેક્ષ સત્યની અવહેલના ન કરે. સાપેક્ષ સત્યનું પાલન કરતાં કરતાં. જ્યારે નિરપેક્ષ સત્યનું પણ પાલન કરવા લાગશે ત્યારે પરમાત્માને ભેટ થવામાં વાર નહિ લાગે. જો તમે સત્યને ધનથી વિશેષ માને છે તે ધનને માટે સત્યને ત્યાગ ન કરે. સાપેક્ષ સત્યને તે ન ભૂલે. સંસારમાં એવા લેકે પણ થાય છે કે જેમણે સત્યને માટે બધા કષ્ટ તે સહ્યાં પણ સત્યને ત્યાગ ન કર્યો. '' 'શંકરાચાર્યનું નામ બ્રાહ્મણું સમાજમાં ઘણું ઊંચું માનવામાં આવે છે. તેઓ જગદ્ગુર પણ કહેવાય છે. આજે તે લેકે શંકરાચાર્યને શિષ્ય કહેડાવવામાં ગૌરવ માને છે પણ આદ્ય શંકરાચાર્યનાં તરને કેવી રીતે વિરોધ થયો હતો એ સાંભળો તે દિડમૂઢ થઈ જવાય. આદ્ય શંકરાચાર્યની માતા મૃત્યુ પામી હતી. તેમના તને વિરોધ થવાને કારણે બ્રાહ્મણ લેકે કહેવા લાગ્યા કે, હવે તે ઠેકાણે આવશે. આપણે તેની માતાના મૃતદેહને ઉપાડવા નહિ જઈએ, તે તે આપણી ખુશામત કરશે અને આપણી વાત માનશે એટલા માટે તેની માતા મૃત્યુ પામી એ સારું થયું. :; બ્રાહ્મણને આ વિચાર સાંભળી આદ્ય શંકરાચાર્યે વિચાર્યું કે, માતાને મૃતદેહ ઉપાડવા માટે મારે મારા તત્ત્વજ્ઞાનના સત્યને કદાપિ છોડી દેવું ન જોઈએ. આ તે મૃતદેહ છે, એને