Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૧] રાજકોટ–ચાતુર્માસ
[૪૯ અને સાંસારિક પદાર્થોમાં આનંદ માનવો એ એક ઘડાના પાણીની સમાન છે અને તત્ત્વજ્ઞાનને આનંદ સમુદ્રના પાણીની સમાન છે. તત્ત્વજ્ઞાનને આ સમુદ્ર હોવા છતાં ઘડાના પાણીથી કેણ સ્નાન કરશે !
બડે ઘર તાર લાગ્યો રે, જીવલડારી જ્યોતિ જાગી રે; પ્રભુજી સે પ્રીતિ લાગી રે, ચેતનિયારી ભ્રમણા ભાંગી રે. છીલર પાની મહારે દાય ન આવે રે, નાલે કુણુ ન્હાવે રે
ગંગા જમના ભેટને દં તે, જાય મિલ્ દરિયાવ રે. બડે. જેમને ક્ષીર સાગર મળતું હોય તે ગટરના પાણીથી શા માટે નહાય? શીતલ જલ મળતું હોય તે ગટરનું પાણી કોણ પીશે ?
આ જ પ્રમાણે રાજીમતિ કહે છે કે, મને ક્ષીર સાગરની માફક ભગવાન મળી ગયા છે હવે મને સખિઓ ગટરના પાણીના જેવી ભાવના બતાવે છે પણ એમાં મારું ચિત્ત કેમ ચેટી શકે? આ પ્રકારના ઉચ્ચ વિચારથી રાજીમતિએ ક્ષીર સાગર જેવા ભગવાનને જ અપનાવ્યા પણ સંસારની ભાવના રૂપ ગટરથી દૂર રહી.
જે અનંત સાગરમાં રાજમતિએ ડૂબકી મારી હતી તેમાં જ તમે પણ ડૂબકી. મારે તે તમારું કલ્યાણ થઈ જાય. તમે આ સંસારરૂપી ખાડામાં તે અનંતવાર ડૂધ્યા છે એટલા માટે હવે રાજમતિને આદર્શ દષ્ટિ સમક્ષ રાખી એ નિશ્ચય કરે કે –
અબ હમ અમર ભયે ન મરેંગે. જે પ્રમાણે તારમાં ખેતી પરવવામાં આવે છે તે જ પ્રમાણે ભગવાનને તમારા હલ્સમાં પરવી લે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
જે જીવનના આ એયને બરાબર સંમત્તે નથી, આ ધ્યેયને હદયમાં ઉતારતે નથી અને ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરીને પણ તેને મલિન કરી મૂકે છે, તે કાને પણ જ્ઞાનીજો પરિચય આપે છે. સાચા-ખોટાને પરિચય આપવો એ જ્ઞાનીઓનું કામ છે. આ હીરે સાચે છે કે ખેટ એ પારખવાનું કામ ઝવેરીનું છે. બેટા હીરાને પેટે કહેવાથી કોઈ માણસ એમ કહે કે, એમ કહેવું એ તે હીરાની નિંદા કરવા બરાબર છે પણ વાસ્તવમાં એ નિંદા નથી પણ સાચી પારખ છે. શાસ્ત્ર કહે છે કે, સાચી વાતને બતાવવી એ નિંદા નહિ પણ સત શિક્ષા છે. જે સાચે ઝવેરી છે તેણે સાચા-ખોટા હીરાની પારખ કરવી જ જોઈએ. આ જ પ્રમાણે સાધુના પણ પરીક્ષક બની સાચા અને ખોટા સાધુની પરીક્ષા કરવી જોઈએ. અનાથી મુનિને અધિકાર–પપ -
અનાથી મુનિ કહે છે કે, હે! રાજન ! સાધુપણું દુનિયાને ઠગવા માટે તથા લોકેને પિતાની આગળ માથું નમાવવા માટે જ નથી. જે સાધુપણું લઈને તેને બરાબર પાલન કરવામાં ન આવે અને કેવળ લોકોને નમાવવા માટે જ ઉપરથી ઢગ કરવામાં આવે તે એ ખાલી મુઠ્ઠી બંધ કરીને બીજાને બતાવવા સમાન છે. કેઈ બીજે માણસ તે ખાલી બંધ કરેલી મુદ્દીને ભલે ભરેલી સમજે પણ મુદી બંધ કરનાર તે સારી રીતે જાણે જ છે કે તે મુદ્રી ખાલી છે. આ જ પ્રમાણે સાધુપણું ન પાળવા છતાં કેવળ લેકેને ઉપરથી સાધુતાને