Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
o ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[બીજા ભાદરવા
k
શેષ સુખાને ગૌણ કરવામાં આવ્યાં છે. ઇચ્છાપૂર્તિનું સુખ પેદા કરનાર આત્મા જ છે. કામધેનુ અત્રે પશુ અર્થમાં નહિ પણ ‘ ઇચ્છા પૂરી થવી' એ અમાં છે. કામધેનુના અથ સબંધ ઇચ્છાનુસાર સુખની સાથે છે. ઇચ્છાનુસાર સુખ પણ આત્મા જ પેદા કરી શકે છે. તમે સ્વગ જોયું નથી પણ રાજાના મહેલ, ખાગ વગેરે તે જોયાં છે. શું આ સુંદર મહેલા-ભાગખગીચાઓ આત્મા વિનાં ટકી શકે ખરાં ? તમારા લોકેાની દૃષ્ટિ સંકુચિત છે. એટલા માટે તમે તેા મહેલ-ભાગ વગેરેના સુખને મર્યાદિત કરી નાખા છે. પણ જ્ઞાનીજને। તેથી આગળ વધીને કહે છે કે, સ્વર્ગનું સુખ કે નરકનું દુ:ખ આત્માએ જ પેદા કરેલ છે અને એટલા જ માટે આત્મા જ સુખરૂપ કે દુઃખરૂપ છે.
જો તમારામાં એવી શક્તિ હાય કે, તમે ગધેડીને કામધેનુ અને કામધેનુને ગધેડી બનાવી શંકા તો તમે શું બનાવશો ? તમે એમ જ કહેશે કે, અમે ગધેડીને કામધેનુ બનાવીશું, પણુ આ જ વાત તમે આત્મા વિષે કેમ વિચારતા નથી ! આત્માના સુખદુઃખનું તંત્ર આત્માના હાથમાં જ છે. ખીજા કાઈના હાથમાં નથી. જ્યારે સુખદુઃખનું તંત્ર તમારા આત્મામાં છે તે પછી આત્માને કામધેનુની માફક સુખરૂપ કેમ બનાવતા નથી ?
અનાથી મુનિ કહે છે કે, “ હે ! રાજન ! રાજ્ય ભંડાર વગેરે પ્રાપ્ત થવાથી આત્મા કાંઈ સનાથ ખની જતા નથી, પણ મારા આત્મામાં જ સુખ કે દુઃખ પેદા કરવાની શક્તિ છે એનું જ્ઞાન થવાથી જ આત્મા સનાથ બની શકે છે. ‘જ્યારે આ આત્મા જે નંદનવન કે કામધેનુની સમાન સુખ આપનાર છે, તે પછી હું પોતે જ આત્માને નરક કે વૈતરણી નદીની સમાન શા માટે દુઃખદાયક બનાવું' એવા વિવેક પેદા થવાથી આત્માને સનાથ બનાવી શકાય છે.”
આત્મામાં અનંત શક્તિ છે. તે પોતે પ્રકાશમાન છે. આમ છતાં એ આત્મા ક્યાં છે? તે આત્મા હાથમાં છે, પગમાં છે, માથામાં છે કે ક્યાં છે? એવા પ્રશ્ન ઉદ્ભવે છે. આ પ્રશ્નના ઉત્તર એ છે કે, એ આત્મા શરીરમાં બધે ઠેકાણે છે. તમારી આંખેામાં પણ આત્મા છે અને તમે તમારી આંખેાદ્વારા જ આત્માને જાણી શકે છે. એને માટે કહ્યું છે કેઃ— માત માન માન કહા માન લે મેરા; જાન જાન જાન રૂપ જાન લે તેરા. જાને મિના સ્વરૂપ કે, મિટે ન ગમ કભી; કહેતે હૈં વેદ ખાર બાર, ખાત ચે સભી. સત્સંગમે દિલ જોડ, તેાડ઼ માહ કા ઘેરા. જો નયન કા ભી નયન, એન કા ભી મેન હૈ; જિસકે મિના ંશરીરમે, ન પલક ચેન હૈ. વિચાર કે વહી તેરા, સ્વરૂપ હૈ ઘેરા. આ પ્રમાણે કહી, કાણુ કાને મનાવે છે ? જો હું કહું કે, હુ તમને મનાવું છું તે તે મારા આત્મા પણ પરતંત્ર થશે. પણ આ પદ સાંભળવાથી તે એમ જ જણાય છે કે, કોઈ કોઈને મનાવી રહ્યો છે, અને ‘મારું માની લે' એમ કહી રહ્યો છે; અર્થાત્ ખીજાને કોઈ સમજાવે છે. પણ જ્ઞાનીજને તા પોતાના આત્માને જ સમજાવે છે કે, “હું ! આત્મા ! હું શું કરે છે? તું ઇચ્છિત ફળ ભાગવનાર છે તો પછી શા માટે અહીં તહીં ભટકતા
માન
માન