Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
સુદ ૨]
રાજકોટ–ચાતુર્માસ
[૩૭૫
અનાથી મુનિએ ઉપદેશનો જે સાર કહ્યો છે તે વિષે કાલે મેં થેડામાં કહ્યું છે. આજે તેને વિશેષ મર્મ સમજાવવા પ્રયત્ન કરું છું
અનાથી મુનિએ કહ્યું કે, “આત્મા જ વૈતરણી નદી છે અને આત્મા જ ફૂટશાલી વૃક્ષ છે.” આ ઉપરથી કોઈ એવો પ્રશ્ન કરે કે, આત્મા એ વૈતરણી નદી છે એ કેમ બની શકે? કારણ કે, આત્મા તે અરૂપી છે અને વૈતરણી નદી રૂપી છે. આત્મા તે ચારેય ગતિમાં પરિભ્રમણ કરે છે અને વૈતરણી નદી તે કેવળ નરકમાં જ હોય છે. આત્મા અનેક યોનીઓમાં પણ ભમે છે અને આખરે તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત પણ થઈ જાય છે; પણ વૈતરણી નદી તે નરકવાસી-નૈરયિકાએ જ ભોગવવી પડે છે. તે પછી આત્મા વૈતરણ નદી કેમ બની શકે ?
આ મહાન પ્રશ્નનું સમાધાન તે કઈ મહાન યોગી જ કરી શકે. પણ શાસ્ત્રના આ કથનને એવો અર્થ જણાય છે કે, આત્મા ન હોય તે વૈતરણી નદી પણ હોઈ શકે નહિ. વૈતરણ નદી દુષ્કર્મનુ ફલ છે અને દુષ્કર્મ આત્મા જ કરે છે. જે આત્મા ન હોય તે દુષ્કર્મ કેણું કરે અને તેનું ફલ વૈતરણી નદી પણ કેવી રીતે હોય? વૈતરણી નદીની સૃષ્ટિનું સર્જન કરનાર આત્મા જ છે. જે આત્મા ન હોય તે વૈતરણી નદીનું નામ પણ ન હોય ! આત્માના દુષ્કર્મનું કલ જ વેતરણી નદી છે. આ પ્રમાણે કારણ-કાર્ય ભાવને વિચાર કરીને જ શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, આત્મા જ વૈતરણી નદી છે.
. શા શબ્દોના આડબરમાં ન પડતાં જે વાસ્તવિક વાત કહેવાની હેય છે તે છેડામાં કહી દે છે. શાસ્ત્રો કહે છે કે, “વૈતરણી નદી દુખ આપનારી છે એટલું કહીને જ રહી ન જાઓ, પણ વૈતરણી નદીને કર્તા તેમજ હર્તા આત્મા પોતે છે એમ માન. હે ! આત્મા ! આ વૈતરણી નદીને બનાવનાર પણ તું જ છે અને જો તું એ વૈતરણી નદીમાં પડવા ચાહતે. ન હો તે, કેઈ એવું નથી કે તને એ નદીમાં પાડી શકે.” '
આજે બુદ્ધિવાદને જમાને ચાલે છે એટલે કેટલાક લેકે બુદ્ધિનું પૂછડું પકડી કહેવા લાગે છે કે, નરક કે સ્વર્ગ કેણે જોયું છે. આ પ્રમાણે કહેનાર લેકેને પૂછવું જોઈએ કે, જે તમે નરક જેવું નથી તે જેલખાનું તે જોયું છે ને? એ જેલખાનાને બનાવનાર કેણું છે ! એ જેલખાનાં ઉભાં કોણે કર્યો છેઆ આત્માએ જ ને ? જે આત્મા જેલમાં જવાને યોગ્ય દુષ્કર્મો ન કરે તે સંસારમાં શું જેલખાનાંઓ રહી શકે ખરાં? આ દષ્ટિએ આત્મા જ જેલખાના કર્તા અને હર્તા કહેવાય કે નહિ ?
વર્ણનમાં કોઈ પ્રધાન વસ્તુને મુખ્ય રાખી અને શેષ વસ્તુનું ગૌણ કરી વર્ણવવામાં આવે છે. એટલા માટે અહીં પણ વૈતરણી નદીને મુખ્ય કરી શેષ દુઃખોને ગૌણ રાખવામાં આવ્યાં છે. વ્યવહારમાં જેલ જ નહિ પણ સમસ્ત દુઃખને પેદા કરનાર આત્મા જ છે. એટલા માટે જે એમ કહેવામાં આવે છે, આત્મા જ દુઃખ પેદા કરનાર છે કે આત્મા જ દુઃખ છે તે એમાં શું ખોટું છે ?
મતલબ કે, કેઈપણ દુઃખને આ આત્મા જ પેદા કરે છે. આ જ પ્રમાણે સુખને પણ આ આત્મા જ પેદા કરે છે. દુઃખમાં તે પ્રધાનતઃ નરકનાં દુઃખને ગ્રહણ કરવામાં આવ્યાં છે અને શેષ દુઃખને ગૌણ કરવામાં આવ્યાં છે. આ ઉપરથી સમસ્ત દુઃખના કર્તા આત્મા જ છે એમ સમજવું જોઈએ. આ જ પ્રમાણે સુખમાં પણ ઈચ્છાપૂર્તિના સુખને મુખ્ય માની