Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વજ્ર ૨ ]
રાજ કેટ–ચાતુર્માસ
[ ૪૬૩
સુખશીલ બની જઈ મેાજ માણવી અને મેાજ કરવાના કાર્યને પણ ઉજ્જવલ નામ આવું અને ભાવિક જનોની શ્રદ્ધાના અનુચિત લાભ લેવા એ સાધુઓને ધર્મ નથી, સાધુઓના તા એ ધર્મ છે કે, પ્રત્યેક વાત સ્પષ્ટ કહે કે, શાસ્ત્ર તે આમ કહે છે પણુ મારામાં આ અપૂર્ણતા હેાવાને કારણે આ વાત મારાથી પાળી શકાતી નથી. જે એષણાસમિતિનું ખરાખર પાલન કરે છે તેને હું નમસ્કાર કરું છું. જે આ પ્રમાણે એષાસમિતિનું બરાબર પાલન કરે છે તે જ મહાત્મા સ્વપરનું કલ્યાણ કરી શકે છે. આ પ્રમાણે જે પેાતાની અપૂર્ણતાને સ્પષ્ટ સ્વીકાર કરી લે છે અને શાસ્ત્રની અપૂર્ણતા બતાવતા નથી, તેની શાસ્ત્ર એટલી નિંદા કરતું નથી જેટલી નિંદા શાસ્ત્રની વિરુદ્ધ પ્રતિપાદન કરનારની કરે છે, જે લાક સંયમનું બરાબર પાલન કરી શકતા નથી પરંતુ પેાતાની અપૂર્ણતાના સ્વીકાર કરે છે તે કેાઈ વખતે તે સંયમનું પાલન કરી શકશે અને પેાતાની અપૂર્ણતા દૂર કરી શકશે; પરંતુ જે પોતાની અપૂર્ણતાના સ્વીકાર જ કરતા નથી, તેને સુધાર થવા બહુ મુશ્કેલ છે. સુદર્શન ચરિત્ર—૫૦
સુન કહે છે કે, તમે લેાકેા મારા આદરસત્કાર કરી રહ્યા છે. મહારાજા પણ્ નીચે બેઠા છે અને મને ઉપર બેસાડવો છે એ મારા શરીરના આદર નહિ પણ મારી ભાવનાને આદર છે. સંસારના લેાકા ઠગાઈ રહ્યા છે. હૃદયની વાત તે બીજી હાય છે પણ કરે છે બીજી. લોકા સ'સારના મેહક પદાર્થોમાં ફસાઈ જઈ કાંઈનું કાંઈ કરી બેસે છે. એટલા માટે સંસારના મેાહક પદાર્થમાં ન ફસાતાં સ્વામીની આજ્ઞાનું ધ્યાન રાખૈ તા તમારી ભાવમાં પણ દૃઢ રહેશે અને તમે પણ આ જ પ્રમાણે આદરપાત્ર બની શકશે.
તુમ તો જગતકા ખ્યાલ ઈકકા ગાના, તેરી અપ ઉમર ખુટ જાય અત ઉઠે જાના. મેં ખેલૂ. સચ્ચી ખાત જૂઠ નહી માશા; તૂ સાતા હૈ કિસ નીદ કૈસી કર આશા. તુમસેવા દેવ જિનરાજ ખલકમે ખાસા, તેરે જોખન પતગકા રંગ જુઠે સમ આશો; અખ ધરા હિયે મેરી સીખ સમઝ યહે સચાના. તેરી
જ્યારે સુદર્શને આ આશયના ઉપદેશ આપ્યા હશે તે વખતે લેના હૃદય ઉપર કા પ્રભાવ પડયો હશે? ત્યારે લેાકાનું હધ્ય કેવું ઉન્નસિત થયું હશે ? ઉપરની કવિતામાં કહેવામાં આવ્યુ છે કે, જગતના ખેલને છેાડા અને પ્રેમનાં ગાયનેામાં મત્ત થઈ ન જામ. તારી આ નાની ઉંમર એમાં જ એળે સમાપ્ત થઈ જશે. ’
જે પ્રમાણે રાજાના નાકર નાટક-ખેલ વગેરે જોવામાં રાકાઈ જઈ રાજાની આજ્ઞાનું પાલન કરવું ભૂલી રહ્યો હાય અને ત્યારે તેને કાઈ સન્મિત્ર એમ કહે કે, તું અહીં ઊભા રહીને શું કરે છે ? તારું કર્ત્તવ્ય કેમ બરાબરી બજાવતા નથી ? આ જ પ્રમાણે મહાત્મા લે પણ તમારા હિતેષી થઈ તે તમને કહે છે કે, “હું ! જગજ્જીવા ! જગના નાટક–ખેલ વગેરે જોવામાં કેમ ભાન ભૂલી રહ્યા છે!! ” સુદર્શન પણ એ જ કહે છે કે, “ આત્માનું ઉત્થાન