________________
૨૦
જૈન દર્શનને કર્મવાદ
-
-
-
-
R
સ્વ સ્વરૂપને ખ્યાલ આવી શકે. પરમાત્મારૂપ તિ વિના કેવળ અજ્ઞાનીઓના કથનરૂપ અજ્ઞાન દષ્ટિથી તે સુખના સાધનરૂપ પરમનિધાન સન્મુખ હોવા છતાં પણ જગત તેને ઉલ્લંઘીને જ ચાલી રહ્યું છે. જ્યાં સુધી આત્માને એ ખ્યાલ નથી કે સ્વયં જ પરમાત્મા છે, ત્યાંસુધી વાસ્તવિક ધર્મ પ્રાપ્ત નહીં થવાથી કર્મબન્ધનની વૃદ્ધિ થયા જ કરે છે. કર્મની વૃદ્ધિ થવાથી આત્મા, વધુને વધુ વિભાવ દશામાં સૂકાય છે. આત્માની વિભાવદશા એજ દુદખે છે. જેમ જેમ વિભાવ દશા વધુ, તેમ તેમ દુખ પણ વધુ પામે છે. આત્મા, સ્વભાવ દશા અને વિભાવ દશાને સમજે, વિભાવ દેશના દુઃખને અને સ્વભાવ દશાના સુખનો ખ્યાલ કરે, સ્વભાવ દશાની પૂર્ણતામાં કેટલી ન્યુનતા છે તે વિચારે, સ્વભાવ દશાની પૂર્ણતા પ્રકટ કરવા કોશિષ કરે, અને સ્વભાવ દશાની પૂર્ણતાને પ્રાપ્ત પરમાત્માને દષ્ટિ સન્મુખ રાખે, તેજ આત્મા વિભાવ દશાના બંધનમાંથી મુકત બની, આત્માના અનંત ચતુષ્કાદિ ગુણેને પ્રગટ કરી શાશ્વત સુખને જોતા બની શકે છે.