________________
પ્રકૃતિ બંધ
૨૩૯ - - -મીઠું, અનાજ, પાણી કે અન્ય કેઈ આહાર, રૂપ પદાર્થના સાત ધાતુ રૂપે થતા પરિણમન કાર્યમાં આપણે વિચારવું પડશે કે શરીરમાં પરિણામાન્તર કરનાર કેઈક પાક ક્રિયા છે. પકવવાની તાકાતવાળી ચીજ જ પરિણામાન્તર કરી શકે. જેમ અગ્નિમાં પકાવ્યા વિના માટીના ઘડે પાણીને ભરવા ચાગ્ય થઈ શકતા નથી,-એવી રીતે પકવવાની તાકાતવાળી વસ્તુ વિના મૂલપદાર્થનું પરિપકવણું થઈ શકતું નથી. જે પક્વવાની તાકાતવાળી ચીજ ન હોય તો શરીરમાં પડેલું મીઠું તે મીઠું જ રહે, માટી તે માટપણે જ રહે. સંગ્રહણને વ્યાધિ. જેને થયે હોય તે રાક લે છે પણ પચાવી શકતો નથી, કેમકે દુન્યવી દષ્ટિએ કહેવાય છે કે તેની જઠરમાં અગ્નિનું જેર નથી.
પકવવાની તાકાતવાળી ચીજ હોય તો જ શરીરમાં ગયેલ આહાર પરિણામોત્તર પામે અને સાત ધાતુ રૂપે પરિણમે. આવું પરિણામાન્તર કરનાર તે જ તૈજસ શરીર
છે. લીધેલ ખોરાકને પકવદશામાં લાવવું, પરિણામાન્તર " કરવું તે કામ તેજસ શરીરનું છે. આ તૈજસ શરીર તે
જીવની સાથે વળગેલી ભઠ્ઠી છે. દરેક સંસારી જીવની સાથે તૈિજસ ભઠ્ઠી રહે જ છે. જેમ અગ્નિને સ્વભાવ છે કે બળ
તણને પકડે છે. અને પોતે ટકે છે, પણ બળતણથી જ. તેવી • રીતે જીવની સાથે રહેલી તૈજસરૂપ ભઠ્ઠી ખોરાકને ખેંચે છે અને ખોરાકથી ટકે છે.
તિજસ:-રીર ૫ણ અનેક પ્રકારનું હોય છે. આપણને