________________
૨૫૬
જૈન દર્શનને કર્મવાદ
ય લક્ષણ રહિત અને બેડેલ હોય તે હડક સંસ્થાન જે કર્મના ઉદયથી તેવા ખરાબ સંસ્થાનની પ્રાપ્તિ થાય તે હુડકસંસ્થાનનામકર્મ.
સંઘયણ અને સંસ્થાનનું નિર્માણ થવા ઉપરાંત શરીરમાં વર્ણ—ગધ-રસ અને સ્પર્શનું પણ અમુક ચોક્કસ પ્રકારનું નિર્માણ થાય છે. અને તે ચોક્કસ પ્રકારે થતા. વર્ણાદિના તે નિર્માણમાં કારણભૂત વર્ણનામકર્મ, રસનામકર્મ, ગધનામકર્મ અને સ્પર્શનામકર્મ છે. અહીં વર્ણ. અને વર્ણનામકર્મનો ભેદ ભૂલાઈ જ ન જોઈએ.
કારણકે વર્ણ એ કાર્ય છે, અને વર્ણનામકર્મ એ તેનું કારણ છે. એ રીતે ગંધ, રસ, સ્પર્શ અંગે અને ગંધનામકર્મ, રસનામકર્મ તથા સ્પર્શનામકર્મ અંગે પણ સમજવું. કૃષ્ણ, નીલ, રક્ત, પીત્ત અને ધત એ પાંચ પ્રકાર તે વર્ણન છે.
સુરભિગંધ અને દુરભિગંધ એમ બે પ્રકાર ગંધના.. છે. કહે, તી, તૂર, ખાટે અને મીઠે એ પાંચ પ્રકાર રસના છે. લઘુ, ગુરૂ, મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, નિધ. અને અક્ષ એ આઠ પ્રકાર સ્પર્શના છે. તેમાં જે કર્મના. ઉદયથી પ્રાપ્તિનું શરીર કૃષ્ણ વર્ણવાળું બને તે કર્મનું નામ કુણુવર્ણનામકર્મ કહેવાય છે. એવી રીતે પ્રાણિના શરીરમાં જે જે પ્રકારના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નિમય તે નિર્માણ થવામાં તે તે પ્રકારનું વર્ણ નામકર્મ, ગંધનામ કર્મ, રસનામકર્મ અને સ્પર્શનામકર્મ કારણભૂત સમજવું