________________
૨૮૮
જૈન દર્શનને કર્મવાદ
સંજ્ઞાયુક્ત કહેવાતાં કર્મને મૂળ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ ૧૫૮ પૈકીના જ સમજવાં, પરંતુ અન્ય સમજવા નહિ. હવે તે ઘાતી અને અઘાતીની વ્યાખ્યા વિચારીએ. તે આત્માના જ્ઞાનાદિ ગુણને ઘાત કરનારાં જે કર્મ તે ઘાતીર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય–મેહનીય અને અંતરાય એ ચારે ઘાતકર્મ છે. અનંતજ્ઞાન અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય એ ચારે ગુને. ઘાત કરનારાં ઉપરોક્ત કર્મો અનુક્રમે સમજવાં.
જ્ઞાન-દર્શનાદિ આત્માના મુખ્ય ગુણેમાંના કેઈ પણ ગુણને ઘાત ન કરે તે અઘાતી કર્મ છે.
અઘાતી કર્મની પ્રકૃતિ જ્ઞાનાદિ મુખ્ય ગુણોને ઘાત નહિ કરતી હોવા છતાં પણ ચારની સાથે મળેલ શાહુકાર જેમ ચેર કહેવાય છે, તેમ ઘાતકર્મની સત્તા પણ વિદ્યમાન હેતે છતે અઘાતી પ્રકૃતિએ જ્ઞાનાદિ ગુણોને 'વાત કરતી દેખાય છે. ઘાતી કર્મની સત્તા નષ્ટ થયે છતે. અઘાતી કર્મોને ઉદય તેની પરંપરા નીપજાવી શકતો નથી, અને અલ્પ સમયમાં જ વિલીન થઈ જાય છે. કેમ કે અઘાતી કર્મની પરંપરા ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત તે. ઘાતી કર્મ જ છે. એટલે ઘાતી કર્મ રહિત અઘાતી કર્મો તે પરાજય પામેલ રાજવિહોણું નાસતા ભાગતા સૈન્ય જેવાં છે. ઘાતકર્મનો ક્ષય થયા બાદ અઘાતી કર્મો પણ
અલ્પ ટાઈમમાં જ ક્ષય થવાને પરિણામે આત્માને અવ્યા. .બાધ-અક્ષયસ્થીતિ–અરૂપીપણું અને અગુરુલઘુ એ ચાર