Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 433
________________ કર્મબન્ધના હેતુઓ ૪૦૨ જાતને અસંયમ છે. માટે તેને કષાયમાં જ અન્તર્ગત ગણું બહેતુઓ ચાર ગણાવ્યા છે. આત્માની મિથ્યાત્વ અને અવિરતિ દશ વર્તવામાં મુખ્ય કારણ તો મેહનીય કર્મને જ ઉદય છે. એટલે જ આગળ મેહનીયકર્મના વિવરણમાં વિચારાયું છે કે આત્માને મિથ્યાત્વ દશામાંથી મુક્ત થવા નહિ દેનાર અનંતાનુબંધિ કષાય છે. અને આત્માને અવિરતિ દશામાં રાખનાર તે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાય છે. જેથી મિથ્યાત્વ અને અવિરતિ એ કષાયના જ ઉદયવાળી જીવની અમુક દશાહાઈતે બન્ને હેતુ, કષાયના સ્વરૂપથી જુદા પડતા નથી. માટે બન્ધહેતુઓ કષાય અને ચુંગ બેજ પણ ગણું શકાય છે. એ રીતે બન્ધહેતુઓ મુખ્ય પણે કષાય અને યોગ એમ બે છે. પરંતુ આધ્યાત્મિક વિકાસની ઉતરતી-ચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનમાં બધાની કર્મ પ્રવૃત્તિઓની તારતમ ભાવના કારણમાં મેહનીય કર્મના ઉદયથી વર્તતી કઈ દિશા કઈ કર્મપ્રકૃતિઓના બન્ધમાં કારણભૂત છે તે સાદી સમજના લેકેને હેલાઈથી સમજાવવા માટે જ્ઞાનિ પુરૂષોએ મિથ્યાત્વ અને અવિરતિને કર્મબંધના હેતુમાં જુદાં જુદાં ગણાવ્યાં છે. કષાયના ઉત્તર ભેદ પચવીસ તથા ચેગના મૂળભેદ ત્રણ અને ઉત્તર ભેદ પંદર છે. એ રીતે કર્મબંધના મૂળ હેતુ તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એમ ચાર ૨૬

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457