________________
૪૦૬
જેનદર્શનને કર્મવાદ
સેવન સમયે જ્ઞાનાવરણીયના અનુભાગને બંધ મુખ્યપણે થાય છે. અને તે સમયે બંધાતી બીજી કમપ્રકૃતિઓને અનુભાગ બંધ ગૌણપણે એટલે સામાન્યપણે બિસ્કુલ મામુલી અંશે થાય છે. પણ તે સમયે બંધાતાં અન્યકર્મોમાં અનુભાગ બંધ બિલકુલ થતું જ નથી એમ નહિ સમજવું. કેમકે પ્રતિસમય બંધાતી સર્વકર્મપ્રકૃતિઓમાં પ્રકૃત્યાદિ ચારે પ્રકારને બંધ થાય છે.