Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 423
________________ - - - - - કર્મબન્ધના હેતુઓ ૩૦૧ દિવસે તે વિચાર નહિ ઉત્પન્ન થવામાં તે દિવસ અંગેની આહારની અવિરતિનો ત્યાગ છે, અને ઉપવાસ સિવાયના દિવસેએ આહારમાં ઇંદ્રિયના પ્રવર્તનનું અનિયંત્રણ છે. માટે ઇંદ્રિના પ્રવર્તનનું અનિયંત્રણજ મનના અનિયંત્રણને ઉપસ્થિત કરે છે. જેથી મનની અવિરતિને ત્યાગ કરવા ઈચ્છનારે ઇન્દ્રિયની અવિરતિને પહેલે ત્યાગ કર જોઈએ. એટલે સાવદ્ય પ્રવૃતિમાં ઈન્દ્રિયોને નહિં પ્રવર્તાવવાનાં પચ્ચકખાણ પહેલાં કરવાં જોઈએ. અવિરતિના બારભેદમાં જૈનશાસ્ત્રકારોએ પાંચઈદ્રિય અને મન, એ છના અનિયંત્રણનાં પચ્ચકખાણ નહિં કરવામાં અવિરતિ ગણાવી. પરંતુ કેવા કાર્ય અંગે પ્રવર્તતા તે છએના અનિય ત્રણને અવિરતિ કહેવાય તે ન સમજાય તે પણ અનર્થ થઈ જાય. અહિત કેવલ હિંસાના કાર્ય અંગેજ પ્રવર્તતા તે છએના અનિયંત્રણના પચ્ચકખાણ નહિં કરવામાં જ અવિરતિ ગણાય છે. હિંસા પણ માત્ર પંચેન્દ્રિય જીવોની જ નહિ, પરંતુ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તમામ જીવોની હિંસા ટાળવાની છે. મનુષ્ય કે ઢેરેનું રક્ષણ થવું જોઈએ અને બીજાનું ચાહે તે થાય તેવી રાજ્યનીતિ જિનેશ્વરના શાસનમાં નથી. પૃથ્વી, પાણી, તે, વાયુ અને વનસ્પતિકાયને જે માટે જ આ જગતમાં છે, તેમાં પણ જીવ છે તે તો આજે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સિદ્ધ થઈ ચૂકયું છે. તેમ છતાં કીડી-મકેડી–પશુ –પક્ષી–મનુષ્ય વગેરે રસ (હાલતા ચાલતા) છાનું રક્ષણ

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457