Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 425
________________ કર્મબન્ધના હેતુઓ ૩૯૩ અહિ· સંપૂર્ણ હિંસાથી વિરામ પામવા રૂપ મહા તાને ગ્રહણ કરવાથી જગતની જે કાઈ ચીજના વપરાસ દ્વારા હિસા થતી હૈાય તે તમામ ચીજના વપરાસનુ; પચ્ચકખાણુ આવી જાય છે. અને સાથે સાથે ભૂતકાળમાં તેવી' જે કાઈ ચીજો પુર્વભવમાં જીવ છેડીને આવ્યેા હાય, તેનુ પણ પચ્ચકખાણ થઈ જાય છે. એટલે મહાવ્રતાને ઉચ્ચરનાર મનુષ્યને પૂર્વભવા અંગે કે વન્તમાન ભવ અંગે કાઈ ચીજની અવિરત રહેતી નહિ' હાવાથી અવિરતિથી થતા કર્માંશ્રવથી તે બિલકુલ ખચી જાય છે. આ પ્રમાણે સપૂર્ણ અવિરતિના ત્યાગવાળુ જીવન તે સૌંસારિક સબધાને ત્યાગ કરી મુનિપણુ* અ‘ગીકાર કરેલ મહાત્માએજ વ્યતીત કરી શકે છે. જે મનુષ્ય ગૃહસ્થજીવનમાંથી મુક્ત થઈ શકતા નથી, તેનાથી તે આ ખારે પ્રકારની અવિરતિનાં પચ્ચકખાણુ થઈ શકે જ નહિ. કારણ કે ગૃહસ્થપણાની જીવનચર્યોંમાં પૃથ્વીકાયાદિ પાંચસ્થાવર જીવેાની હિંસાના સર્વથા ત્યાગ તા અશકય જ છે. જેથી પાંચસ્થાવર જીવાની હિંસાની અવિરતિથી થતા કર્માશ્રવથી તે ખચી શકે જ નહિ. વળી ત્રસજીવેાની હિંસાની અવિરતિથી પણ તે ગૃહસ્થ, સર્વથા વિરામ પામી શકે નહિ. પુણ્યશાલી ગૃહસ્થ ઈરાદાપૂર્વક કોઈ ત્રસજીવેાના સંહાર કરવા ભલે ન પ્રેરાય, પરતું ઘર મકાન—–ખેતી—–રસાઈ કુવા-તલાવ તથા વાવ વીગેરે સખધી આરંભેાનાં કાર્યાં જયણાપૂર્વક કરતાં છતાં પણ કીડીમકાડી વીગેરે ત્રસજીવેાની હિંસાના તે તેમાં સ’ભવ ખરાજ.

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457