________________
૩૮૬
જૈન દર્શનને કર્મવાદ
થાય તે અસંયમ છે. અનાદિકાળની અશુદ્ધ અસંયમની તે પ્રવૃત્તિ કર્મબંધના હેતુરૂપ છે. જ્ઞાન એ આત્માનું પોતાનું લક્ષણ હેવાથી વપરવસ્તુના બેધથવારૂપ છે. પરંતુ તેમાં ઈષ્ટપણું અને અનિષ્ટપણારૂપ વિભાવજ પર વસ્તુના સંગથી થયેલ અનાદિપરંપરાજન્ય અશુદ્ધ પરિણામ છે. તેજ સર્વથા ત્યાગ કરવા લાગ્યા છે. એટલે ઇન્દ્રિયની પ્રવૃત્તિને સંકેચ કરવારૂપ ઈદ્રિયનો દ્રવ્યજ ય છે, અને આત્માની ચેતના અને વીર્ય ગુણોના સ્વરૂપને અનુકુળ પ્રવૃત્તિ કરવા રૂપ ઈન્દ્રિયોને ભાવજય છે.
પાંચ ઈદ્રિયોની માફક ચંચલ મન પણ કર્મબંધને હેતુ છે. અનેક વિધ સંકલ્પ-વિકલપિમાં અથડાતું, શેખચ
લ્લી જેવા તરગે કરતું મન, તે વિખાધે–વિણ ભોગ પણ સંકલ્પ. માત્રથી અનેકવિધ અશુભકર્મ બાંધે છે. • અતિ પ્રિયવસ્તુનાવિયેગમાં અને અપ્રિય વસ્તુના સંગમાં, શરીરે ઉપસ્થીત થયેલ રોગના સંબંધમાં, ધર્મ કરીને સંસારિકનું સુખ મેળવવાના મનોરથમાં તીવ્ર ચિંતાપણે વર્તે છે. વળી હિંસાના કાર્યમાં પ્રવર્તાવા, અસત્ય બોલી કેઈને છેતરવા, લોભના વશે બીજાનું દ્રવ્ય લઈ લેવાના પ્રપમાં અને જગમ તથા સ્થાવર મિલકત તથા સ્ત્રી-પુત્ર પરિવારમાં રચ્યામસ્યા રહેવારૂપ દુષ્ટચિંતવનમાં અથડાતું ચંચલમન કર્મબંધનું નિમિત્ત બને છે.
અહિં પંચેન્દ્રિયના વિષય ગ્રહણમાં. પણ કર્મબંધનું કારણ તે રાગદ્વેષરૂપે પરિણમતું મનજ છે. છતાં પંચેન્દ્રિય