________________
૨૯૪
જૈન દર્શનને કર્મવાદ
-
-
-
--
---
-
-
-
-
--
-
-
-
અંગે તે વિપાકને હેતુ દર્શાવવાની અપેક્ષાએ કર્મપ્રકૃતિઓનું વગીકરણ ચાર વિભાગમાં કરેલું છે. તે ચાર પ્રકારો નીચે મુજબ છે –
(૧) જીવવિપાકી, (૨) પુદગલવિપાકી (૩) ક્ષેત્રવિપાકી અને (૪) ભવવિપાકી.
આ ચાર પ્રકારના વગીકરણમાં અમુક અમુક પ્રકારની મુખ્યતાજ કારણભૂત છે. જો કે કર્મપ્રકૃતિઓને વિપાક જીવજ અનુભવે છે. એ હિસાબે સર્વ પ્રકૃતિએ જીવવિપાકી જ છે, પરંતુ અમુક કર્મ પ્રવૃતિઓ એવી છે કે જે જીવ ઉપર સીધી અસર નહિ કરતાં શરીરને ઉપયોગી એવી કેટલીક જડ સામગ્રીઓ આત્માને પ્રાપ્ત કરાવવા દ્વારા, કેટલીક પ્રકૃતિઓ અમુક સ્થાનને જ પામીને, અને વળી કેટલીક તે પ્રાણીઓની અમુક પ્રકારની જાતિમાંજ, જીવને ફલદાયી થાય છે. આટલી બાબતોને અનુલક્ષીને જ જીવવિપાકી આદિ ચાર પ્રકારે કર્મપ્રકૃતિનાં બતાવ્યા છે. એટલે કઈ કર્મપ્રકૃતિઓ કયા સ્થળને, ક્યા ભવને, અને કેવા પ્રકારની શરીરની સામગ્રીઓ પામીને, તથા કયી પ્રકૃતિ સ્થાન-ભવ, અને પુદ્ગલસામગ્રીની અપેક્ષા રાખ્યા વિના જ ઉદયમાં આવે છે તે આ ચાર પ્રકારના વર્ગીકરણથી અતિ સ્પષ્ટપણે સમજી શકાશે. અમુક હેત પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય તે હેતુને અનુલક્ષીને તે પ્રકૃતિએ તે તે વિપાક સંજ્ઞાવાળી કહેવાય છે.
(૧) જીવવિપાકી-કર્મમાત્ર આત્માને વિપાકવરૂપ