________________
પ્રકૃતિ બંધ
૨૬ છે કે, “જાત એવી ભાત સુકર્મો (સુ ) પ્રાયઃ ઉચ્ચ કુળમાં જ સંભવે. એટલે સુકૃત્ય–સુસંસ્કારની પ્રાપ્તિનું સ્થાન તે ઉચ્ચત્ર કહેવાય છે.
આસ્તિક ગણાતા આત્માનું ધ્યેય તે કર્મને સંપૂર્ણ ક્ષય કરવા દ્વારા મોક્ષ પ્રાપ્તિનું જ હોય છે. તે ધ્યેય સિદ્ધ કરવા માટે ધર્મનું આચરણ દરેક જીવ કરી શકે છે, દરેકને કરવાને હક્ક છે, તેમ છતાં પણ તે આરાધના માટે અનુકુલ સંગોની પ્રાપ્તિ જરૂર હોવી જોઈએ. ધર્મારાધનની ઈચ્છા હોવા છતાં પણ સચેની અનુકૂલતાના અભાવે આરાધના થવી મુશ્કેલ છે. એકેન્દ્રિયથી માંડી. પંચેન્દ્રિય સુધીના દરેક જીવે ધર્મારાધના સરખી રીતે કરી શકતા નથી. કારણ કે દરેકના સંગમાં ફેરફાર છે. પંચેન્દ્રિચમાં પણ ધર્મારાધનના સુલભ સંગ તે ખાસ મનુષ્યમાં જ હોય છે. મનુષ્યમાં પણ આર્યભૂમિમાં જન્મ, ઉચ્ચગેત્રમાં જન્મ, જૈનધર્મ પાળતા કુટુંબમાં જન્મ, દેવગુરુને રોગ, શ્રવણેચ્છા–શ્રવણને ચેગ, દેવ, ગુરુ અને ધર્મની સામગ્રીસમ્યકત્વ-દેશવિરતિ–સર્વવિરતિ વગેરે ઉત્તરોત્તર સગો ધર્મપ્રાપ્તિ માટે સુલભ અને ઉચ્ચ કક્ષાના છે. મનુષ્યપણું અને આર્યક્ષેત્ર મળવા છતાં પણ તેમાં ઉચ્ચગોત્રની પ્રાપ્તિ એ ધર્મારાધનની પ્રાપ્તિનું ઉત્તમ સાધન છે. ધર્મારાધન ઉચ્ચ સંસ્કારી જ કરી શકે છે. અને ઉચ્ચ ગોત્રમાં જ તે સંભવી શકે, એટલે ઉચ્ચ ગોત્રની પ્રાપ્તિ પુણ્યથી જ થઈ શકે છે. ઉચ્ચગેત્ર એટલે ફેશનેબલ પહેરવેશ–એટી