________________
પ્રકૃતિ બંધ
૨૬૩
જીવનમાં ખોરાક, રસ, શરીરની સાત ધાતુઓ, પાંચ ઈન્દ્રિયે, શ્વાસ ઉચ્છવાસ, બાલવું અને વિચારવું વગેરે પ્રવૃત્તિઓને જીવ જે શક્તિ વડે કરે છે તે શક્તિ જ પર્યાપ્ત કહેવાય છે.
શરીરને ચગ્ય પુદ્ગલેને આહાર કરવાની, તેમાંથી પ્રત્યેક સમયે સતતપણે શરીરની રચના કરવાની, વળી તે ગ્રહિત પુદ્ગલામાંથી ઇન્દ્રિયને ચગ્ય પગલના જસ્થામાંથી ઈન્દ્રિય બનાવતા રહેવાની, દરેક ક્ષણે શ્વાસેવાસ એગ્ય પુદ્ગલને ગ્રહણ-પરિણમન અને વિસર્જન કરવાની, બેલવાની ઈચ્છા સમયે ભાષાવર્ગણાનાં પગલે ગ્રહણ કરી, ભાષા બોલવામાં તેનો ઉપયોગ કરી તે પુગલેને છેડી દેવાની, તથા વિચાર કરવા ટાઈમે સવગણનાં પગલે ગ્રહણ કરી વિચાર કરવામાં તેને ઉપયોગ કરી વિસર્જન કરવાની, એમ છ પ્રકારની પ્રવૃતિઓ જીવનભર જીવની ચાલુ જ રહે છે. એ છ પ્રકારની પ્રવૃત્તિઓને છ પ્રકારની શક્તિઓ દ્વારા જ જીવ કરી શકે છે. તે તે પ્રવૃતિને ચગ્ય તે તે પ્રકારની શક્તિનું નિર્માણ જીવમાં યુગલના ઉપચયથી જ થાય છે, આ શક્તિઓનું નિર્માણ તે નવા ભવમાં ઉત્તપન્ન થતાંની સાથે જ અંતમુહૂર્તપ્રમાણુ કાળ માત્રમાં જ જીવ કરી લે છે. અને પછી તે જીવનભર કામ આપે છે. તે ભત્ર પૂર્ણ થયા બાદ તે શક્તિ વિખરાઈ જાય છે, અને પુનઃ નવાભવમાં નવીશક્તિઓનું નિર્માણ, જીવને કરવું પડે છે. સંસારી જે જે જીવે છે જે પ્રકારની પ્રવૃત્તિને વેગ્ય