________________
૨૪૫
જેના દર્શનનો કર્મવાદ
માત્રથી જ હાડકાં બંધાયેલાં હોય તેવા પ્રકારની હાલની રચના તે કીલિકા સંઘયણ. તેનું કારણ જે કર્મ તે કીલિકા સંઘયણ નામકર્મ.
દ. એવાત યા છેવટું નામર્મ–જ્યાં હાડકાં -પરસ્પર અડકીને રહેલાં હોય તે સેવાઓં કે છેવકું સંઘયણ છે. સ્નિગ્ધ પદાર્થનું ભેજન, તૈલ મર્દન વગેરે સેવાથી વ્યાપ્ત હોય, એટલે તેની જેને નિત્ય અપેક્ષા હોય તે સેવાર્તા સંઘ ચણ. તેનું કારણભૂત જે કર્મ તે સેવાર્તાસંઘયણ નામ કર્મ યા એવઠ્ઠસંઘયણનામકર્મ.
આ રીતે સંઘયણ અને સંઘયણુનામર્મ કહ્યું. હવે સંસ્થાન અને સંસ્થાન નામકર્મ અંગે વિચારીએ.
* સંસ્થાન એટલે શરીરની સારી કે ખરાબ આકૃતિ. અને તે આકૃતિ થવામાં કારણભૂત જે કર્મ, તે સંસ્થાના નામકર્મ. સંસ્થાનો ઘણું જાતના હોવા છતાં તે સર્વને સમાવેશ શાસ્ત્રીય રીતે છ માં કરે છે. એટલે સંસ્થાન નામકર્મ પણ છ કહ્યાં છે.
૧. સમચતુરસ્ત્ર નામકર્મ-સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણયુક્તશરીરનાંસઘળાંઅવયવ હોય; અથવા પર્યકાસને બેઠેલા પુરૂષના બે ઢીંચણનું અંતર, ડાબા ખભા ને જમણું ઢીંચણનું અંતર, જમણા ખભા અને ડાબા ઢીંચણનું અંતર, આસન અને લલાટનું અંતર–એ પ્રમાણે ચાર અસ–બાજુનું અંતર સમ–સરખું હોય તે સમચતુ