________________
.
-
.
.
.
.
.
.
- .
.
.
:: .
.
.
=
=
પ્રતિ બંધ
જે કે વૈક્રિય અને આહારક શરીર પણ અપ્રતિઘાતી છે, પણ તે બન્ને શરીરનું અપ્રતિઘાતીપણું લેકને ખાસ ભાગ ત્રસ નાડીમાં જ છે. જ્યારે તૈજસ અને કાર્યનું અપ્રતિઘાતીપણું સમગ્ર લેક પર્યત છે.
ઔદારિશરીર તે મનુષ્ય તથા તિર્યંચગતિના છોને અને વૈયિશરીર તે દેવ તથા નરકગતિના જીવને તે તે ગતિમાં જન્મકાળથી લઈ મરણપર્યંત હોય છે. આ અને શરીર કાયમી રહી શકતાં નથી. સંસારી જીવ એક ભવ પૂર્ણ થયા બાદ તે ભવધારણીય શરીરને ત્યજીને જ જાય છે અને નવે ભવ કરવાના સ્થળે પહોંચતાં ત્યાં ભવધારણીય શરીરની રચના નવી કરે છે.
આહારક શરીર તે એક સંપૂર્ણ ભવ પુરતું પણ નહીં હોતાં અમુક ગ્યતાવાળા મનુષ્યને અમુક ટાઈમ પુરતું જ હોઈ શકે છે.
તૈજસ અને કાર્યણું શરીર તે સદાના માટે દરેક ગતિના જીવને અનાદિ સંબંદ્ધવાળાં છે. સંસારી જીવ એક ભવમાંથી છુટી બીજા ભવમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં ભવાંતરાલે પણ તેજસ અને કાશ્મણ શરીર સંબંધ તે ચાલુ જ હોય છે. પ્રવાહની અપેક્ષાએ આ બનને શરીરને સંબધ પ્રત્યેક સંસારી જીવને અનાદિકાળને છે. તેને અપચય અને ઉપચય થયા કરે છે પરંતુ કોઈ પણ સમયે સંસારી જીવની અવસ્થા આ બેનને શરીર રહિત હોતા જ નથી.