________________
પ્રકરણ ૩ જુ. પુદગલવર્ગણુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
કર્મ એ પ્રત્યેક સંસારી આત્મા સાથે રહેવાવાળા એક વિજાતીય પદાર્થ છે, યા એક ભિન્ન દ્રવ્ય છે. એ ભિન્ન દ્રવ્ય તે પુદ્ગલ છે. તે રૂપ, રસ, ગન્ય અને સ્પર્શ વાળે તથા જડ છે. - જ્યારે રાગદ્વેષાદિ વિકૃતિ દ્વારા આત્માના જ્ઞાનાદિ ગુણેને ઘાત કરવાનું અગર અન્ય સાંસારિક સંગ જીવને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય તે જડ પુગલમાં ઉત્પન્ન થાય છે ત્યારે જ તેને કર્મ કહેવાય છે. તે સામર્થ્ય દૂર થતાં જ તે પગલો બીજા પર્યાય(અવસ્થા) ધારણ કરી લે છે. કર્મ રૂપે પરિણમનથવાનેાગ્ય પગલસ્કોને આત્માની સાથે તે સંબંધ તે મન-વચન અને કાયાની ક્રિયાથી જ થાય છે. જડ પુગમાં અનેક શક્તિઓ છુપી રહેલી છે. તેની સંપૂર્ણ શક્તિઓને પત્તો લગાડ એ સામાન્ય માનવ અને વૈજ્ઞાનિકેની પણ શક્તિ બહારની વાત છે. ફક્ત સર્વજ્ઞ ભગવતે જ તેને સંપૂર્ણપણે જાણી શકે છે.