________________
૧૭૫
પ્રકૃતિ બંધ સમજવાનો અવસર જ ન આવે તેથી કરીને તે જીવમાં દર્શનમેહનીય (મિથ્યાત્વ મેહનીય) કર્મ વત્તી જ રહ્યું છે એમ ચોક્કસપણે કહી શકાય નહિ. જિનદર્શનમાં કહેલ પંદર પ્રકારે થયેલ સિદ્ધના ભેદમાં “અન્યલિંગ સિદ્ધનું પણ વર્ણન આવે છે. આવા જ સમ્યકત્વ પામ્યા બાદ ટુંક સમયમાં જ કેવલજ્ઞાન પામ્યા છે. ત્યાં સમ્યકત્વ પામવા ટાઈમે તેમને યથાર્થ તત્ત્વને ખ્યાલ પણ ન હતો. કઈ સમજાવનાર પણ ન હતું, પરંતુ તત્વની યથાર્થતાના સ્વીકાર્યમાં રેધ કરનારૂં દર્શન મેહનીય કર્મ ખસી જવાથી જ સમ્યકત્વ પામી કેવલજ્ઞાન પામ્યા. દફન મોહનીય કર્મ ખર્યું ન હોત તો તે કેવલજ્ઞાન તેઓ પામત જ નહિ.
દર્શન મોહનીય કર્મ ખસવા ટાઈમે અને કેવલજ્ઞાન પ્રાપ્તિ સમય પહેલાં યથાર્થ તત્ત્વનું નિરૂપણ જે તેમની પાસે કઈ કરનાર હોત તે તેમને તે તવ અસ્વીકાર્ય અનત જ નહીં. અને પછી તે કેવલજ્ઞાન પામ્યા એટલે તોની પૂર્ણ યથાર્થતા સ્વયં આત્મ પ્રત્યક્ષ જ અનુભવવા લાગ્યા. ગૌતમ સ્વામીની લબ્ધિ દેખી પ્રતિબંધિત થયેલા પંદરસો તાપસ શેડા જ સમયમાં કેવલજ્ઞાન પામ્યાં. સમ્યકત્વ, યથાખ્યાત ચારિત્ર, અને કેવલજ્ઞાન, એ ત્રણે થેંડા જ ટાઈમમાં થયાં. ગૌતમસ્વામિની લબ્ધિ જોયા પહેલાં તે તાપસ અવસ્થા હતી. અહીં સમ્યકત્વના અધુરા અભ્યાસીઓ કે બીન અભ્યાસીઓ તર્ક ઉઠાવે કે “જનત્વ સિવાય સમ્યકત્વ ન હોય તે તાપમાં સમ્યકત્વ કયાંથી આવ્યું? તાપસી