________________
૨૧૮
જૈન દર્શનને કર્મવાદ બીજી કઈ રીતે નાશ પામે છે, તે અપ્રત્યાખ્યાન કષાય છે. એવી રીતે ચાર માસ પર્યત રહેવાવાળા અને પછીથી ચાતુર્માસિક પ્રતિક્રમણકાળે સર્વ જીવને ખમાવતાં નાશ પામે છે, તે પ્રત્યાખ્યાનીય કષાય છે.
વળી પંદર દિવસ રહેવાવાળા. અને પછીથી પાક્ષિક પ્રતિક્રમણકાળે સર્વજીવને ખમાવતાં નાશ પામે છે, તે સંજવલન કષાય છે... [, આ પ્રમાણે સહેલાઈથી કષાયાની તીવ્રતા અને મંદતા પરસ્પર જણાવવા માટે આ સ્થિતિ કથન હોય તેમ સંભવિત છે. અન્યથા ઉપર કહેલી સ્થિતિની સાથે કષાયોને સંબંધ કઈ રીતે ઘટી શકતું નથી.
, અનંતાનુબંધી કષાય તે નરકનો હેતુ, અપ્રત્યાખ્યાનીયા કષાય તે તિર્યંચગતિનો હેતુ, પ્રત્યાયાનીય કષાય તે મનુષ્ય ગતિને હેતુ, અને સંજવલન કષાયતે દેવગતિને હેતુ છે, આ કથન પણ પૂર્વની માફક કષાની તીવ્રતા-સુંદતા સમજાવવા વ્યવહાર નયની અપેક્ષાએ છે. કેમકે અનંતાનુબંધિ કષાયના ઉદયે વર્તત છવ, ચાર ગતિના આયુષ્યને બંધ કરી. ચારે ગતિમાં ગમન કરે છે. પરંતુ એટલી વિશેષતા છે કે, તીવ્ર અનંતાનુબંધિ કષાયના ઉદયે વર્તતે જીવ નરકાયુષને બંધ કરી નરકગતિમાં જાય છે. અનંતાનુબંધિની આવી તીવ્રતા તે મિથ્યાત્વ અવસ્થામાં હોઈ શકે છે. . ,, - હવે અપ્રત્યાખ્યાન કષાયને ઉદય અવિરતિ સમ્યગ્નદૃષ્ટિને પણ હોય છે. પરંતુ તે તે માત્ર મનુસ્મૃાયુ અને