________________
૧૦૨
જૈન દર્શનને કર્મવાદ
-
-
-
-
-
-
-
-
-
- - - - -
-
-
-
અનેક વાતો આજે પણ વિજ્ઞાનની કસેટી પર કસી શકાય છે. વૈજ્ઞાનિક સત્ય કયાં સુધી ઠીક છે એ એક અલગ પ્રશ્ન છે, પરંતુ જૈનદર્શનકથિત શબ્દ-આણુ-અંધકારાદિ સંબંધી અનેક માન્યનાઓ એવી છે કે જે આજની વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિરૂદ્ધ નથી.
જેની ઉત્પત્તિ સ્વયં સિદ્ધ હોય અર્થાત્ કેઈ દ્રવ્યના સગજન્ય ન હોય એ રીતની વ્યાખ્યા અનુસાર વિશ્વમાં મૂળ તની સંખ્યા પ્રથમ ૨૨ કે ૨૩ની સ્વીકારી અંતે ૩ સુધી સિદ્ધ કરનાર વિજ્ઞાન આજે કહેવા લાગ્યું છે કે પરમાણુની વધઘટથી જ જુદાં જુદાં તે મૂળતત બને છે. અને આણુના ઘટક ઈલેકટ્રાન્સની જુદી જુદી સંખ્યાના કારણે જ આણુમાં વિવિધતા આવે છે. . જૈન દર્શનની માન્યતા તે સદાને માટે એ જ હતી
અને છે કે દ્રશ્ય જગતની અનેકવિધ વિવિધતામાં પૃથક પૃથક સંખ્યા પ્રમાણ પરિણામ પામેલા પુદ્ગલ પરમાણુઓનું જ કાર્ય છે. પૂર્વે કહેલ ઔદારિકાદિ વિવિધ સંજ્ઞાવાળી પુગલ વગણએનું કારણ એના ઘટક પરમાણુઓની જુદી જુદી સંખ્યાના હિસાબે જ છે. તે સર્વેના મૂળમાં માત્ર એક પુદ્ગલ દ્રવ્ય જ છે. તેમાં બતાવેલ સંખ્યા પ્રમાણુ પરમાણુઓમાંથી એક પણ પરમાણુની હાનિ વૃદ્ધિએ તે તે વર્ગીણાઓની સંજ્ઞા બદલી જાય છે.
આધુનિક વિજ્ઞાને સ્વીકારેલ, પારાના અણુમાંથી એકની ન્યુનતાએ સુવર્ણ અણુ બની જવાની હક્તિ, જૈન દર્શન તે પહેલેથી જ કહેતું આવ્યું છે. આ રીતે જૈન દર્શનકથિત પુદ્ગલદ્રની કેટલીક હક્તિો કે જે અન્ય