________________
૧૫૪
જૈન દર્શનને કર્મવાદ
પંચેન્દ્રિય છતાં પણ જેઓ જન્માંધ - અથવા પાછળથી આંધળા અને બહેરા થયેલા છે, એવાઓને પણ ચક્ષુ વિગેરે ઈન્દ્રિયની લબ્ધિ અને ઉપયોગનું આવરણ સમજવું. આ પ્રમાણે અંધાપણું–બહેરાપણુ-ગંગાપણું-હીન વિચારશક્તિ -જડતા-મૂર્ખતા વગેરે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનું જ ફળ છે. ટૂંકમાં દ્રવ્યેન્દ્રિયોને અભાવ અને ભાવ ઇન્દ્રિયનું હનન કરનારી ચીજ, એજ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ સમજવું.
આંખે પાટા બાંધવાથી કોઈ પણ જોઈ જાણી ન શકાય તેમ જ્ઞાનાવરણીય કર્મ આત્માની જાણવાની શક્તિને રેકે છે. અને દ્વારપાળે રેકેલ માણસ જેમ રાજાદિનું દર્શન જ કરી શકે નહિતેમ-દર્શનાવરણીયકર્મ તે દર્શન થતું રેકે છે. .
વેદનીય કર્મ – - જે સુખાદિ સ્વરૂપે વેદાય—અનુભવાય તે વેદનીય. જે કે, બધાં કર્મ વેદાય છે તે પણ વેદનશબ્દ તે પંકજાદિ શબ્દની પેઠે રૂઢિને વિષય હેવાથી શાતા અને અશાતારૂપ કર્મ જ વેદનીય કહેવાય છે. બીજાં કર્મ વેદનીય કહેવાતા નથી. વેદનીય કર્મની ઉત્તર પ્રકૃતિમાં બે છે. (૧) શાતા વેદનીય અને (૨) અશાતા વેદનીય. જે કર્મના, ઉદયથી પ્રાણિને અનુકુળ વિષયની પ્રાપ્તિથી સુખને અનુભવ થાય છે, તેને શાતા વેદનીય કહેવાય છે. જે કર્મના ઉદયથી