________________
-
પ્રકૃતિ બંધ
૧૬૧ બુદ્ધિ-મન જેટલાં મલીન–અશુદ્ધ, વિપરીત, તેટલું જ તેમાંથી પસાર થતું જ્ઞાન તે મલીન, અશુદ્ધ અને વિપરીત હોય છે. * અનિત્યમાં નિત્યતા, અશુચિમાં શુચિતા, દુઃખમાં સુખ અને જડમાં ચેતનતાની માન્યતા એજ બુદ્ધિની મલિનતારૂપ મિથ્યાત્વ છે.
' મિથ્યાત્વદશામાં જીવને ધર્મક્રિયા કરવાનું તે સૂઝે જ નહિ. કદાચ ધર્મક્રિયા કરે તે ફક્ત સંસાર સુખની ખાતર પિતાની ઈચ્છા મુજબ કરે. યા તે દુનિયાના આવકાર–આકર્ષણ આદિના અંગે જ કરે. અહી શ્રદ્ધા વિપરીત હોવાથી ભાવના પણ વિપરીત હોય છે. જેથી એ કિયા વડે તેને આધ્યાત્મિક લાભ તે થતો જ નથી. બલકે પારાવાર નુકસાન થાય છે. કારણ કે એ કાળે સંસાર તરફ જ દિલ હોવાથી તે હતભાગી જીવ સંસારના તુચ્છ ફળો ખાતર જ ધર્મક્રિયા કરતા હોય છે. વળી તે દશામાં કદાચ ઉદારતા, દયા, દાન, ક્ષમા, દાક્ષિણ્યતા આદિ નૈતિક ગુણ હોય તો બહારથી દેખાતા તે ગુણોમાં મુદ્દલ વાસ્તવતા તે ન જ હાય. કારણ કે જીવ તે ટાઈમે બિસ્કુલ એગ્યતા ધરાવતે નહીં હોવાથી એ ગુણે જેમ જેમ ખીલે તેમ તેમ તેનો વિકાસ તે ન જ થાય, બલકે તેનું આધ્યાત્મિક દષ્ટિએ તે પતન જ થાય. સાચા સુખના ભંડારરૂપ અને દુઃખના લવલેશવિહેણ મોક્ષ પ્રત્યે અશવા તેનાં રામબાણ સાધન પ્રત્યે અને મેક્ષના અકસીર ઈલાજોને જીવનમાં વણી રહેલા
૧૧ ,