________________
તત્વજ્ઞાન દારા પદાર્થના મૌલિક તત્વની સમજ
--
તત્વજ્ઞાનની પ્રાપ્તિનો અભાવ છે. બાહ્યદૃષ્ટિ તે કેવળ વિજ્ઞાનથી પણ કેળવાય છે. જ્યારે આંતરદષ્ટિ તે આંતરદષ્ટિને પ્રાપ્ત તત્ત્વજ્ઞાનીઓએ પ્રરૂપેલ તત્વજ્ઞાન દ્વારા જ કેળવાય છે. - હવે તત્ત્વજ્ઞાન અંગે વિચારીએ તે અનેક પ્રકારનું તત્વજ્ઞાન સમય સમય પર જગતમાં જોવામાં આવે છે. અને તે તત્ત્વજ્ઞાનની પ્રરૂપણરૂપ વિવિધ દર્શને (સિદ્ધાન્ત) જગતમાં દષ્ટિગોચર થાય છે. દરેક તત્વજ્ઞાનના આવિષ્કારકેમાં ન્યુનાધિક પ્રમાણમાં લોક સેવા, નિઃસ્વાર્થવૃત્તિ, ત્યાગ, તપ આદિ પણ જોવામાં આવે છે. તે વિવિધ દર્શનકારોએ વિવિધરૂપે પ્રરૂપેલ તત્ત્વજ્ઞાન પૈકી, કયા તત્ત્વજ્ઞાનને સંપૂર્ણ સત્ય રૂપે સ્વીકારવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય એ સ્વભાવિક છે. એટલે એ માટે હવે વિચારીએ.
જીવનના મૂળ તાનું અધ્યયન કરવું, તેને સમજવાને પ્રયત્ન કરે અને વિવેકની કસોટીપર કસાએલ તત્વનુસાર આચરણ કરવું એ જ “દર્શનને જીવનની સાથે વાસ્તવિક સંબંધ છે.
માનવજીવનની આસપાસની પરીસ્થિતિ અને તેના પરંપરાગત સંસ્કારના આધાર પર જ પ્રત્યેક દાર્શનિકની વિચારધારા બને છે. અને તે કારણેની અનુકુળતા–પ્રતિકુળતાને અનુસારે આગળ વધે છે. સ્વભાવ–વૈચિત્ર્ય અને પરિસ્થિતિ વિશેષના કારણે જ વિભિન્ન દૌર્શનિક વિચાર